કેશોદમાં તુવેર દાળની ખરીદીનાં કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે હવે પુરવઠા વિભાગના M.D મનીષ ભારદ્વાજ કેશોદમાં પહોંચ્યાં છે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં M.D એ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, બુધવારે સરકાર દ્વારા 85 લાખ રૂપિયાની તુવેર સીઝ કરવામાં આવી છે.. આ મામલે યોગ્ય તપાસ બાદ કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ સામે આવી શકે છે. તુવેર કૌભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલે તેવી શક્યતા છે.
આ મામલે રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયાએ કહ્યુ કે કોઈપણ કૌભાંડીને છોડવામાં નહીં આવે. હલકી ગુણવત્તાની તુવેરની તપાસ કરવામાં આવશે. રાદડિયાએ કહ્યું જો કોઈ મોટા માથાના નામ સામે આવેશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, બુધવારે સરકાર દ્વારા 85 લાખ રૂપિયાની તુવેર સીઝ કરવામાં આવી છે. આ મામલે યોગ્ય તપાસ બાદ કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ સામે આવી શકે છે. તુવેર કૌભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલે તેવી શક્યતા છે.
નાફેડને કોઈ લેવા-દેવા નથી
કેશોદમાં તુવેરના કૌભાંડ મામલે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે નાફેડને સમગ્ર મામલે કોઈ લેવા દેવા નથી..પુરવઠા નિગમની જ બેદરકારી છે..પુરવઠા નિગમે નજર રાખવી જોઈએ..જે નથી રાખી..પુરવઠા વિભાગ પાસે પુરતા અને અનુભવી સ્ટાફની અછત છે..જેથી આવી સ્થિતિ સર્જાઈ શકે.
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે તુવેર ભેળવીને મળતિયાઓને માલામાલ કરવાનું આ કૌભાંડ છે. અનેકવાર રજૂઆત છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવતું. સરકારની મિલીભગતથી જ કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો બીજી તરફ લલિત વસોયાએ કૌભાંડ મોટા માથાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તો આ મામલે કિસાન કોંગ્રેસના સભ્ય પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે જયેશ રાદડિયા અધૂરી માહિતી લઈને નિવેદન આપી રહ્યું છે..સત્ય શું છે તે અંગે તે જાણતા જ નથી.
ઉલ્લેખનીય છે કે નબળી તુવેરની ભેળસેળ મામલે પર્દાફાશ થયા બાદ તુવેરની 3241 ગુણી સીઝ કરવામાં આવી છે. જોકે આ તમામ ગુણી સીઝ કર્યા બાદ નિગમ સુપરવાઈઝરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.. જેના આધારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પરંતુ આ કૌભાંડને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. કારણ કે, આટલું મૌટું ભેળસેળીયું કૌભાંડ આંચરાઈ ગયું અને તંત્ર બિલકુલ અજાણ હતું.