ખેડૂતો આંદોલનને એક મહિનાથી ઉપર થઈ ગયું છે અને કોઈ સમાધાન આવ્યું નથી ત્યારે આજે ખેડૂત અને સરકાર વચ્ચે મોટી બેઠક થવા જઈ રહી છે. સરકારના વારંવાર આમંત્રણ બાદ ખેડૂતો વાતચીતમાં રાજી થયા છે ત્યારે આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય સામે આવે તેવી આશા છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે આજે ફરીથી બેઠક
ખેડૂતો કાયદો રદ કરવાની માંગ પર અડગ
ખેડૂતો સાથે ચર્ચા પહેલા ગૃહમંત્રી શાહને મળ્યા કેન્દ્રના નેતાઓ
આંદોલનકારી ખેડૂતો અને સરકાર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ
કેન્દ્ર સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે આજે બેઠક થવાની છે આશા છે કે આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય કે સમાધાન આવી શકે છે. જો આ બેઠકમાં કોઈ નક્કર પગલાં ન લેવાયા તો આંદોલન ખૂબ ઉગ્ર બનશે તેવા એંધાણ છે. ખેડૂતો આ કાયદા રદ થાય તે સિવાયની કોઈ પણ વાત પર તૈયાર થવા રાજી નથી.
કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો નેતાઓ અને સરકાર વચ્ચે આજે બેઠક
ખેડૂતો અગ્રણીઑ દ્વારા પહેલા જ સાફ કરી દેવામાં આવ્યું હતું કે આ કાયદા રદ થાય અને એમએસપી ગેરંટી મળે તે શરતે જ વાતચીત કરવામાં આવશે.
ખેડૂત સંગઠનોને બઠક માટે કૃષિ સચિવે કર્યા છે આમંત્રિત
ખેડૂતો સાથે બેઠક પહેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને સૂત્રો અનુસાર આ બેઠકમાં ખેડૂતો સામે સરકારનું વલણ રહેશે તેના પર ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી કૃષિ મંત્રી તોમરની સાથે સાથે ગોયલ અને સોમ પ્રકાશ વાર્તામાં સામેલ થશે.
નોંધનીય છે જે પહેલા કૃષિમંત્રી કહ્યું હતું કે તેમણે ગતિરોધ સમાપ્ત થઈ જશે તેવી આશા છે અને કેન્દ્ર સરકારે સોમવારે કેન્દ્ર સરકારે ખેડૂતો અગ્રણીઓને બધા જ મુદ્દાઓ પર તાર્કિક સમાધાન શોધવા માટે આમંત્રણ આપ્યું હતું,
સરકાર સાથેની અગાઉની તમામ બેઠકો રહી હતી અનિર્ણિત
નોંધનીય છે કે આ પહેલા આ મીટીંગ નવમી ડીસેમ્બરે થવાની હતી પરંતુ ગૃહમંત્રી અમિત શાહ તથા ખેડૂત અગ્રણીઓએ એક અનૌપચારિક બેઠક કરી જેમાં કોઈ પરિણામ ન આવ્યું અને તેને જોતાં વાતચીતને રદ્દ કરી દેવામાં આવી. હવે આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે બે વાગે આ બેઠક કરવામાં આવશે.
નોંધનીય છે કે આજે ખેડૂતો દ્વારા એક ટ્રેક્ટર માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે સરકાર સાથે વાતચીતને ધ્યાનમાં રાખીને તેને સ્થગિત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બેઠકમાં કોઈ સંધાન આવશે નહીં તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે અને અન્ય રાજ્યોમાં આંદોલનને તેજ કરવામાં આવશે.