સમગ્ર દેશભરના ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે. મોદી સરકાર ખેડૂતોને સદ્ધર કરવા માટે નવી નવી યોજનાઓ લઈને આવે છે, ત્યારે હવે વધુ એક યોજના પર કામ ચાલી રહ્યું છે.
ખેડૂતો માટે ખુશખબર
મોદી સરકાર લાવી રહી છે નવી યોજના
કરોડો રૂપિયાનો કરશે ખર્ચો
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક ખુશખબરી આવી છે. કૃષિ મંત્રાલયે દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેટલીય નવી કેન્દ્રીય યોજના સાથે તૈયાર છે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપતા કહ્યું કે, આ યોજના પર અનુમાનિત 2500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું છે કે, પ્રસ્તાવિત નવી યોજનાને ટૂંક સમયમાં મંત્રીમંડળની મંજૂરી માટે મોકલવામાં આવશે.
ગુજરાતના સંમેલનમાં થઈ હતી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પર એક રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કરતા કહ્યું હતું કે, ખાતર અને કીટનાશક આધારિત ખેતીનો વિકલ્પ શોધવાની જરૂર છે, તેના થોડા મહિના બાદ આ યોજના બનાવામાં આવી છે.
કોઈ સાઈડ ઈફેક્ટ નહીં
મોદીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી વધારે ઉત્પાદન લાવી શકે છે, જેની કોઈ સાઈડ ઈફેક્ટ નહીં થાય. અધિકારીએ કહ્યું કે, હિતધારકો સાથે કેટલીય વખત વાતચીત કર્યા બાદ પ્રાકૃતિક ખેતી પર એક યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતીની હાલની સિસ્ટમને બાધિત કર્યા વગર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનું છે.
બજેટ 2022માં વિશેષ પ્રસ્તાવ
અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો, તેના ઉત્પાદનના વેચાણ માટે સહયોગ આપવામાં આવશે, આ ઉપરાંત તેમને વિસ્તારિત સેવાઓ પણ આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય કે, સરકારે સામાન્ય બજેટ 2022માં દેશભરમાં રયાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. તેની શરૂઆત ગંગા નદીની સાથે પાંચ કિલોમીટરના એરિયામાં ખેતી સાથે કરવામાં આવી હતી.
સરકારી શોધ સંસ્થા નીતિ આયોગના જણાવ્યા અનુસાર પ્રાકૃતિક ખેતી એક રયાણમુક્ત પરંપરાગત ખેતીની રીત છે. ભારતમાં પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર પ્રાયોજિત યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રોગ્રામ દ્વારા પ્રોત્સાહન આપવાનું છે.