કેન્દ્રના 3 નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીના ખેડૂતોએ મહાસંગ્રામ છેડ્યો છે. દિલ્હીમાં ખેડૂતો પ્રદર્શન પર અડેલા છે. હવે ખેડૂતોએ મોટું એલાન કર્યું છે. ખેડૂત નેતાઓએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગો પુરી કરવામાં ન આવી તો દિલ્હીના મુખ્ય રાજમાર્ગ જામ કરશે. આવન જાવન સંપૂર્ણ બંધ કરવામાં આવશે. ગાજિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદને દિલ્હી સાથે જોડનારા હાઈવેને બ્લોક કરવાની ચેતવણીથી સરકાર અને દિલ્હી પોલીસ બેડામાં ખળભળાટ મળ્યો છે. સરકાર તરફથી ખેડૂતોને એક વાર ફરી વાતચીતનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
અમે લાંબા દોરની તૈયારી કરીને આવ્યા છીએ
વધી શકે કે જરુરી વસ્તુઓના ભાવ
અમિત શાહે કરી હતી અપીલ
ખેડૂતો ગત 4 દિવસથી દિલ્હી બોર્ડર પર બેઠા છે અને તેમની માંગ છે કે જંતર મંતર પર પ્રદર્શન કરવાની પરવાનગી મળે. ખેડૂત યુનિયને રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકાર તરફથી બુરાડીમાં પ્રદર્શન કરવાના પ્રસ્તાવને અમે ફગાવી દીધો થે. અમે શરત વગરની સરકાર સાથે વાતચીત કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે બુરાડી ઓપન જેલ જેવું છે તે આંદોલનની જગ્યા નથી. અમારી પાસે પુરતુ રાશન છે. 4 મહિના રોડ પર બેઠા રહીશું. ખેડૂત યુનિયન અધ્યક્ષે કહ્યું કે દિલ્હીમાં 5 રોડ પર 5 પોઈન્ટ પર ધરણા કરીશું. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે હાઈ લેવલ બેઠક યોજાઈ જેમાં લગભગ 2 કલાક ચર્ચા ચાલી હતી.
અમે લાંબા દોરની તૈયારી કરીને આવ્યા છીએ
ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે ઓપન જેલની જગ્યાએ સોનીપત, રોહતકના બહત્તર ગઢ, જયપુરથી દિલ્હી હાઈવે, મથુરા આગ્રાથી દિલ્હી હાઈવે, ગાજિયાબાદથી આવનારા હાઈવે જામ કરીશું. 5 પોઈન્ટ પર દિલ્હીની ઘેરા બંધીની તૈયારી કરીશું. અમે લાંબા દોરની તૈયારી કરીને આવ્યા છીએ. ખેડૂતોએ કહ્યું કે એક કમિટી બનાવી છે કે કોઈ રાજકીય દળ અમારા સ્ટેજ પર સ્પીકર તરીકે નહીં બોલે. એ પછી કોંગ્રેસ હોય કે આપ. કમિટી અને બીજા સંગઠન દ્વારા નક્કી નિયમો મનાશે અને એ લોકો જ વાત કરશે જેમને પરવાનગી મળી છે.
વધી શકે કે જરુરી વસ્તુઓના ભાવ
ખેડૂતોએ દિલ્હીના મુખ્ય હાઈવેને જામ કરવાની ચેતવણી આપી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ અને જરુરી સામાનની સપ્લાયની કિંમતો વધવાની આશંકા છે. કોરોના સંકટના કારણે પહેલાથી જ જરુરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે હાઈવે બ્લોક થવાની સ્થિતિમાં કરિયાણુ, શાકભાજી સહિતની તમામ સમાનની અવરજવર માટે 350થી વધારે ટ્રક તથા નાના લોડ વાહન બંધ શહેરમાં નથી ઘૂસી શકતા. આ ઉપરાંત ફાયદો ઉઠાવીને સ્થાનીય વ્યાપારી ભાવ વધારી શકે છે.
મીની પંજાબ બન્યા હાઈવે
ખેડૂત આંદોલનના કારણે હાઈવેનો નજારો પંજાબ જેવો થઈ ગયું. ટ્રોલિયોએ ખેડૂતોએ ઘર બનાવી લીધું છે. અહીં ખાવાનું બની રહ્યું છે. અહીં ન્હાવા ધોવા અને કપડા ઘોવાની વ્યવસ્થા છે. તમામના કામ વહેંચાયેલા છે. અનેક જગ્યાએ લંગર છે. ઘરણાવાળા લોકો ઘરણા પર બેઠા છે. જમવાનું બનાવનારા બનાવી રહ્યા છે.
અમિત શાહે કરી હતી અપીલ
નોંધનીય છે કે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર આંદોલનને જોતા અમિત શાહે અપીલ કરી હતી કે તે બુરાડીના મેદાનમાં આવીને એકત્ર થઇને શાંતિપૂર્ણ આંદોલન કરે તો સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે અને સરકાર ખેડૂતો સાથે દરેક મુદ્દા પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે સરકાર વાતચીત માટે નક્કી 3 ડિસેમ્બર પહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે.
1 ડિસેમ્બરથી રાજ્યોમાં પ્રદર્શન
દિલ્હી- હરિયાણાની બોર્ડર પર સિંધુ બોર્ડર પર ખેડૂતોની બેઠક થઈ. ખેડૂતોનું કહેવુંછે કે 1 ડિસેમ્બરથી રાજ્યોમાં પણ પ્રદર્શન શરુ કરવામાં આવશે. અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિનું કહેવું છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ભારે સંખ્યામાં ગોલબંદ થઈને પહોંચી રહ્યા છે. સાથે યુપી અને ઉત્તરાખંડના ખેડૂતો પણ દિલ્હી જઈ રહ્યા છે.