ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. 3 કૃષિ કાયદાને પાછા લેવાની માંગ પર અડેલા ખેડૂતો દિલ્હીની સરહદની સીમા પર પ્રદર્શન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોથી ખેડૂતો દિલ્હીની સીમા પર આવેલા છે. ખેડૂતોએ બુધવારે કેન્દ્રએ તેમના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જેમાં સરકારે કહ્યું હતુ કે તે એમએસપીએ જારી રાખવા માટે લેખિતમાં આશ્વાસન આપવાની તૈયારીઓ છે. ખેડૂત નેતાઓએ કહ્યું સરકાર જો બીજો પ્રસ્તાવ મોકલશે તો તેઓ વિચાર કરી શકે છે.
જો સરકાર નહીં સાંભળે તો ખેડૂતો ભરશે આવું
ખેડૂત નેતાએ કહ્યું સરકાર જલ્દી આ ત્રણેય કાયદા પરત લે
ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે
ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીની 10 મહત્વની વાતો
ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે જો 3 નવા કાયદા રદ્દ નહીં કરવામાં આવ્યા તો એક બાદ એક દિલ્હીના રસ્તા બંધ કરવામાં આવશે.
કક્કાનું કહેવું છે કે ખેડૂત સિંધૂ બોર્ડર પાર કરી દિલ્હીમાં પ્રવેશ કરવા બાબતે નિર્ણય લઈ શકે છે.
કિસાન નેતાએ કહ્યું છે 3 કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારે આવતા દોરની વાર્તા પર હજું કોઈ નિર્ણય નથી કર્યો.
12 ડિસેમ્બરે દિલ્હી જયપુર રાજમાર્ગ બંધ કરવામાં આવશે. ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે 12 ડિસેમ્બકે આગ્રા- દિલ્હી એક્સપ્રેસ- વે બંધ કરવામાં આવશે અને તે દિવસે દેશના કોઈ પણ ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં આપવામાં આવે.
ખેડૂત નેતા પ્રહ્વાદસિંહ ભારુખેડાએ કહ્યું કે સરકારના પ્રસ્તાવમાં કંઈ પણ નવું નથી અને અમે કૃષિ વિપણન કાયદાની વિરુદ્ધ પોતાનું પ્રદર્શન ચાલૂ રાખીશું.
ખેડૂત સંગઠનોએ પોતાની માંગોને લઈને સરકારની સાથે 5 સ્તરની વાર્તા કરી ચૂક્યા છે. પરંતુ કોઈ પરિણામ આવ્યા નહી.
ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ખેડૂત સંગઠનોના 13 નેતાઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ તેનો પણ કોઈ હલ નિકળી શક્યો નહોંતો. એ બાદ બુધવારે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિયોની વચ્ચે થનારી છઠ્ઠી બેઠક રદ્દ કરી દેવાાં આવી હતી.
સરકારે ખેડૂતોને બુધવારે પ્રસ્તાવ મોકલ્યો છે જેણે તેમએ નામંજૂર કરી દીધો છે.
બુધવારે ખેડૂત આંદોલનને લઈને વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદની મુલાકાત કરી હતી. જેમાં રાહુલ ગાંધી અને શરદ પવાર સામેલ હતા.
જો સરકાર નહીં સાંભળે તો ખેડૂતો ભરશે આવું
આ સિવાય ખેડૂતો 14 ડિસેમ્બરે દેશમાં ધરણાં ધરશે. આ સમયે પણ સરકાર નહીં સાંભળે તો ભાજપના મંત્રીઓ અને નેતાઓને ઘેરવામાં આવશે. કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર ખેડૂતો અટક્યા છે. તેમને લાગે છે કે જે હિત અને હક માટે તેઓ 14 દિવસથી ખુલ્લા આસમાન નીચે રાજકીય ચળવળ ચલાવી રહ્યા છે તેમનો હક મળી રહ્યો નથી.
ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે
સરકાર ભલે સુધારાની લેખિત ગેરેંટી આપે પણ સરકારના પ્રસ્તાવને જોઈને તેઓએ બેઠકમાં આવેલા વિમર્શની સાથે સરકારના પ્રસ્તાવને ફક્ત દબાણ ગણાવ્યું છે અને તેઓ તેમાં આવશે નહીં. ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે આજે 15મો દિવસ શરુ થઈ ગયો અને હવે તેને વધારવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોના કહેવા પ્રમાણે તે 6 મહિનાની તૈયારી સાથે આવ્યા છીએ.
ખેડૂત નેતાએ કહ્યું સરકાર જલ્દી આ ત્રણેય કાયદા પરત લે
ખેડૂત નેતા જસવીર સિંહે કહ્યું કે સરકાર ફક્ત ટાલમટોલ કરી રહી છે. અમને સંશોધન મંજૂર નથી. અમે સરકારની વાતમાં આવવા ઇચ્છતા નથી. તેઓ ત્રણેય કાયદા પરત લે તે યોગ્ય છે. જો સરકારને ખામી લાગે છે તો તેઓ કાયદો પરત શા માટે નથી લેતી. એટલા મામટે અમે આ આંદોલન વધુ ઝડપી બનાવીશું. જેથી સરકાર જલ્દી આ ત્રણેય કાયદા પરત લે.