ઔરંગાબાદ શહેરમાં મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપનીના એક અધિકારીની બેદરકારીને કારણે શહેરમાં શાકભાજી વેચનાર વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. હકીકતમાં આ વ્યક્તિના ઘરે 8 લાખ 64 હજાર રૂપિયાનું વીજળી બીલ મોકલવામાં આવ્યું હતું જેનાથી પરેશાન થઇને આ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ ભાગિનાથ શેલકે હતું.
આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે ખરીફ પાક બરોબર થયો નહીં જેના કારણે રાજ્ય સરકારે રાજ્યમાં આશરે 16 હજાર ગામને દુષ્કાળ જાહેર કર્યો એમાં વધારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મરાઠાવાડ અને વિદર્ભ વિસ્તારમાં છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાગ આ વિસ્તારોના લોકોને અને ખાસ કરીને ખેડૂતોની વીજળીના બીલમાં 35% રાહત આપવાની વાત કહેવામાં આવી હતી.
પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપની મર્યાદિતના એક અધિકારીએ ઔરંગાબાદના ભારત નગર ગામમાં રહેનાર ભાગિનાથ શેલકેને 2803 રૂરિયાના બિલની જગ્યાએ 8 લાખ 64 રૂપિયાનું બીલ સોંપી દેવામાં આવ્યું. આ વાતની ફરિયાદ શેલકેએ ઘણી વખત ઔરંગગાબાદના મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપનીની ઓફિસમાં જઇને કરી પરંતુ કોઇએ એમની ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં વીજળીનું બીલ આટલું વધારે હોવાને કારણએ શાક વેચનાર ભાગિનાથ શેલકે પરેશાન રહેવા લાગ્યા. ઓફિસમાં ચક્કર લગાવી રહેલા શેલકેની વાત કોઇ સાંભળવા તૈયાર નહતું.
ભાગિનાથ શેલકેનો પરિવાર ઔરંગાબાજના ભાગરતનગર વિસ્તારમાં ટીનશેડમાં રહે છે. ગુરુવરા સવારે પાંચ વાગ્યે જ્યારે ભાગિનાથના ઘરે કોઇ નહતું. એમની પત્ની ગામથી બહાર ગઇ હતી અને પુત્ર આંગણામાં સૂતો હતો એ દરમિયાન ભાગિનાથે આત્મહત્યા કરી લીધી.