દિલ્હી અને આસપાસના વિસ્તારમાં બે મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂત અગ્રણીઑની કથિત હત્યા કરવાના મામલે સનસનાટી ભર્યા ખુલાસા થઈ રહ્યા છે.
ગઇકાલે ખેડૂતોએ કરી હતી પ્રેસ કૉંફરેન્સ
ખેડૂતોની હત્યા કરવાના કાવતરાનો કર્યો હતો દાવો
હવે આજે તે વ્યક્તિએ આપ્યું ઊંધું નિવેદન
શું છે આખો મામલો
ગઇકાલે ખેડૂતોએ એક કથિત શૂટરને આગળ કરીને દાવો કર્યો હતો કે તે શૂટર ખેડૂતોની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો અને 26મી જાન્યુઆરીએ ચાર અગ્રણીઑને મારી નાખવાનું કાવતરું હતું. જે બાદ આજે પોલીસની પૂછપરછમાં તે જ વ્યક્તિ પોતાના નિવેદનથી ફરી ગયો છે અને આંદોલનકારીઓ પર જ આરોપ લગાવ્યા કે તેમણે દબાણપૂર્વક નિવેદન અપાવ્યું હતું.
આંદોલનકારીઓએ કર્યું હતું અપહરણ?
દિલ્હીના સિંઘુ બોર્ડર પર ખેડૂત અગ્રણીઑએ જેને શૂટર બતાવીને મીડિયાની સામે બતાવ્યો હતો તે શખ્સે પોલીસની પૂછપરછ દરમિયાન ખૂબ મોત ખુલાસા કર્યા છે. આ વ્યક્તિ સોનિપતનો રહેવાસી છે અને નામ યોગેશ છે અને તે 19મી જાન્યુઆરીએ દિલ્હીમાં પોતાના એક સંબંધીના ઘેર આવ્યો હતો અને તેણે લગાવેલા આરોપ અનુસાર આંદોલનકારીઑએ પહેલા તેનું અપહરણ કર્યું અને તે બાદ કેટલાય દિવસ સુધી તેની સાથે મારઝૂડ કરી હતી. યોગેશે કહ્યું કે આંદોલનકારીઑએ દબાણ બનાવ્યું હતું કે તે લોકો જે કહે તે મીડિયા સામે જઈને બોલવાનું રહેશે.
The masked man who addressed a press conference with farmer leaders y'day has said in his viral video that he was reading a script given to him by them. This video hasn't been validated by police who say they will give more info this afternoon.
યોગેશે કહ્યું કે તેની સાથે બીજા ચાર યુવકોને પકડવામાં આવ્યા હતા અને તેમના પર પણ દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. યોગેશે કહ્યું કે કેટલાય દિવસ સુધી તેને બાંધીને રાખવામાં આવ્યો અને તે બાદ દારૂ પણ પીવડાઈ દેવામાં આવ્યો હતો. તે બાદ તેણે આંદોલનકારીઑએ જેમ કહ્યું તેમ કર્યું.
ગઇકાલે થયો હતો દાવો
Delhi: The person who revealed an alleged plot to shoot four farmer leaders and cause disruption during farmers' tractor march on January 26 has been handed over to police. pic.twitter.com/ABNLo12JME
નોંધનીય છે કે ગઇકાલે મોડી રાતે ખેડૂતોએ ભેગા થઈને એક પત્રકાર પરિષદ કરી અને તેમાં આ યુવકને દેશ સામે મૂક્યો. આ યુવકે રાતે એવા ખુલાસા કર્યા હતા કે 26મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં તે ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો અને ખેડૂતો નેતાઓની હત્યા કરવાનો પ્લાન હતો. ગઇકાલે આ જ આ વ્યક્તિએ મોઢું ઢાંકીને દેશ સામે કરેલા દાવા બાદ સરકાર સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા હતા. ગઇકાલે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખેડૂત નેતાઑને ગોળી મારવાની હતી અને ચાર લોકોની તસવીર પણ આપવામાં આવી હતી.
The Police are interrogating him (masked man who appeared in farmers' press conference) & nothing can be said until the investigation is completed. All usual security arrangements are in place for Republic Day programs: Haryana CM Manohar Lal Khattar. pic.twitter.com/Ht3wBMEuzg
નોંધનીય છે કે ગઇકાલથી આ જ મુદ્દા પર ખેડૂત આંદોલનને લઈને દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે પહેલા ખેડૂતો સામે આ વ્યક્તિના ખુલાસા બાદ હવે પોતાના જ નિવેદન પર ફરી જતાં રાજકારણ પણ ગરમાયું છે. હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ નિવેદન આપી શકાય નહીં.