રાજકોટમાં ખેડૂતે આપઘાત કરી લેતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં આક્રંદ મચી ગયો હતો.
ખેડૂતે ટૂંકાવ્યું જીવન
જસદણના ભાડલા ગામની ઘટના
આપઘાતનું કારણ અકબંધ
રાજકોટના જસદણ પંથકમાં ખેડૂતના આપઘાતની ઘટના સામે આવી છે. જસદણના ભાડલા ગામે ખેડૂતે મોત વહાલુ કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
વસંતભાઈ મકવાણા નામના ખેડૂતે કપાસમાં છટવાની દવા પી લઈને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.