કોરોનાની મહામારી અને મેઘાની વધુ પડતી મહેરબાનીએ જગતના તાતની કમર ભાંગી નાંખી છે. પાક નિષ્ફળ જતા જુનાગઢના ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
જૂનાગઢમાં ખેડૂતનો આપઘાત
''પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો''
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
રાજ્યમાં ભારે વરસાદે ખેડૂતોના પાકનું ધોવાણ કરી નાખ્યું છે. જેને લઇ ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે જૂનાગઢમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતે આપઘાત કરી દીધો છે. ભેંસાણના છોડવી ગામમાં ખેડૂતે પાક નિષ્ફળ જવાના કારણે આપઘાત કર્યો છે. જેને લઇ પોલીસે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
શું કહે છે આંકડા?
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
ગુજરાતનો નંબર ચોથો
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે. દર્શાવાઈ છે.
પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ
આપઘાત સંખ્યામાં 36 ટકાનો વધારો કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે. પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ ક્રમે છે. એક સમય સૌથી વધુ ખેડુતો આપઘાત કરનાર મહારાષ્ટ્રમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ખેડુતોના આપઘાતમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.