એક તરફ, કેરીની સિઝન ફેલ ગઈ છે બીજી તરફ કમોસમીએ આગળની સિઝન બગાડી હતી અને લોકડાઉન અનલોક થયા બાદ પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવ ખેડૂતોને પડ્યા ઉપર પાટુ છે ત્યારે જૂનાગઢ પંથકમાં એક ખેડૂતની આપઘાતની ઘટના સામે આવી છે.
જૂનાગઢના માંગરોળના ઓસાઘેડ ગામના ખેડૂતે કર્યો આપઘાત
આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી ખેડૂતે જીવન ટૂંકાવ્યું
ખેડૂતોના ખીસ્સામાંથી મળી આવી સ્યૂસાઇડ નોટ
જૂનાગઢના માંગરોળના ઓસાઘેડ ગામના ખેડૂતે આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતોના ખીસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. આ સ્યૂસાઇડ નોટમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે.
શું કહે છે આંકડા?
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
ગુજરાતનો નંબર ચોથો
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે. દર્શાવાઈ છે.
પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ
આપઘાત સંખ્યામાં 36 ટકાનો વધારો કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે. પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ ક્રમે છે. એક સમય સૌથી વધુ ખેડુતો આપઘાત કરનાર મહારાષ્ટ્રમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ખેડુતોના આપઘાતમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.