એક તો આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા હતા એવામાં કોરના સંકટમાં લોકડાઉનને કારણે તૈયાર પાક લોકો સુધી પહોંચ્યો નહતો ત્યારે ભાવનગરથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ભાવનગરમાં એક ખેડૂતે જીવન ટુંકાવી દેતા ખેડૂજગતમાં નિરાશાની લહેરખી ફેલાઈ ગઈ છે.
ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતે કર્યો આપઘાત
ભાવનગરના તળાજાના ઇસોરા ગામના ખેડૂતનો આપઘાત
પોતાની વાડીએ ખેડૂતે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત
ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે પણ સિઝન અને પરિસ્થિતિઓને આધિન ખેડૂત ઘણીવાર પોતાની તમામ જીવનપૂંજી કોઈ એક પાક પાછળ લગાવી દે છે અને જો તેમાં નિષ્ફળતા મળે તો તેને કરમની કઠણાઈ ગણીને ફરીથી કામે લાગે છે પણ ઘણીવાર ધીરજ ખુટી પડતા અંતિમ પગલુ પણ ભરી લે છે. ભાવનગરમાં પણ આવો જ એક ગોઝારો ઘટના સામે આવી છે.
ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતે પોતાનું જીવન ટુંકાવ્યુ છે. ભાવનગરના તળાજાના ઇસોરા ગામના ખેડૂતે આપઘાત વહોર્યો છે. પોતાની વાડીએ ખેડૂતે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. ખેડૂતે બે વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા અંતિમ પગલું ભર્યું હતુ.
આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. અને કોરના લોકડાઉન આવ્યું લોન લઈ લઈને ખેડૂતે ખેતીમાં રોકાણ કરતા હોય છે. પરિમાણે ખેડુતે દેવું ન ચુકવી શકવાની ભીતિને કારણે મોતને વહાલુ કરી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
પોલીસે આ અંગે આપઘાતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રશ્ન થાય કે જગતનો તાત આમ જીવ આપી દે એમાં જવાબદાર કોણ? શું સરકાર ખરેખર તેમને નથી સમજી રહી ? કે મોસમનો માર જગતના તાતને ઢિલો પાડી રહ્યો છે.
શું કહે છે આંકડા?
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
દરરોજ 31 ખેડૂતો આપઘાત કરે છે
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
ગુજરાતનો નંબર ચોથો
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે. દર્શાવાઈ છે.
પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ
આપઘાત સંખ્યામાં 36 ટકાનો વધારો કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે. પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ ક્રમે છે. એક સમય સૌથી વધુ ખેડુતો આપઘાત કરનાર મહારાષ્ટ્રમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ખેડુતોના આપઘાતમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.