કમોસમી વરસાદ, વાવાઝોડા અને ભૂમાફિયાઓના આંતક, ખેડૂતો પહોંચે તો કોને પહોંચે? જગતનો તાત પોતાની ફરિયાદ કરે તો કોને કરે? આવી સ્થિતિમાં પોરબંદરમાં જિલ્લા ભાજપ પ્રમુખના ત્રાસથી ખેડૂતની આત્મહત્યાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.
પોરબંદરના છાયા ગામના એક ખેડૂતની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપર કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકીઓ અને એ સિવાયની કનડગત થતી હોવાની રાવને પગલે તંત્ર દોડતુ થઈ ગયુ છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે.
ખેડૂતને ફોસલાવી પટાવી જમીન હડપ કર્યાની ફરિયાદ કરવામાં આવી
જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેગરા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવમાં આવી છે. ખેડૂતના પરિવાર દ્વારા વિક્રમ ઓડેગરાના ત્રાસથી ખેડૂતે ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા કરી લીધી છે. પાવર ઓફ એર્ટની કરાવીને ખેડૂતને ફોસલાવી પટાવી જમીન હડપ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે.
જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ
જિલ્લા પ્રમુખ ઉપર જમીન હડપ કરી જાનથી મારી નાખવાની ધમકીની પણ ફરીયાદ થઈ છે. ખેડૂતે આપઘાત કરતા પરિજનોએ નોંધાવી ફરીયાદ ફરિયાદ બાદ પરિજનોનું જાનનું જોખમ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતનો નંબર ચોથો
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે.