બનાસકાંઠા ના ડીસા પાસે નાનકડા ગામના યુવા ખેડૂત એ સમગ્ર દેશમાં નામના મેળવી છે.ખેડૂત એ આધુનિક અને ઓછા ખર્ચ વધુ આવક મેળવી ઇન્ડિયા બુક રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે.જોકે આ ખેડુત એ સમગ્ર ગુજરાતનુ ગૌરવ છે.
શિયાળામાં કરી ચોળીની ખેતી કરી દેશના પ્રથમ ખેડૂત તરીકે મળ્યું સ્થાન
ઇન્ડિયા બુક રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
આધુનિક ખેતી સાથે આવક બમણી
બનાસકાંઠાના ડીસા તાલુકાના નાનકડું ગામ રાણપુર. જે ગામના યુવા ખેડૂત કનવરજી વધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. કનરવજી સામાન્ય ખેડૂત છે પણ તેઓ કઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ આપવાની શિયાળામાં ચોળાનું વાવેતર કર્યુ હતું.
હિંમત ન હારી અને ચમક્યા બિયારણના પેકેટ પર
પ્રથમ તો બે વર્ષ નુકશાન કર્યું પણ હિંમત ન હારી એકવાર એટલેકે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાનું વાવેતર કરતા સફળતા મળી અને ખુબજ સારા ભાવે વેચાણ પણ થયું જોકે શિયાળા માં ચોળાનું વાવેતર કરનાર દેશના પ્રથમ ખેડૂત બન્યા હતા. અને આવક પણ ખુબજ થતા બિયારણ કંપનીએ કનવરજી ને બ્રાન્ડ એમ્બેસેટર બનાવી તેના ફોટા બિયારણ કંપનીએ પેકીંગ પર મૂક્યા હતા.
પ્રથમ ખેડૂત તરીકે માન્ય રાખી ઇન્ડિયા બુક માં સ્થાન આપવામાં આવ્યું
સમગ્ર ગુજરાત ના ખેડૂતો પણ આ સફળ ખેતી જોવા કનવરજી ના ફાર્મ પર આવતા થયા ત્યારે વૈજ્ઞાનિક દ્વારા પણ તેઓ સમગ્ર દેશમાં નામના મેળવે જે માટે ઇન્ડિયા બુક માં રજિસ્ટ્રેશન કરાવતા તેઓ દેશના પ્રથમ ખેડૂત તરીકે માન્ય રાખી ઇન્ડિયા બુક માં સ્થાન આપવામાં આવ્યું છે.
શું કહે છે કનવરજી?
આ બાબતે કનવરજીએ જણાવ્યું હતું કે શિયાળા માં ચોલાનું વાવેતર કરવું અઘરું હોવા છતાં મને સફળતા મળી છે. સાથે મોદી સાહેબ નું સ્વપ્ન હતું કે ખેડૂતની આવક બમણી થયા તે આ રીતે ખેતીથી થઈ શકે છે. બનાસકાંઠા આમતો પાણી વગરનો ગણાતો હતો પંરતુ હવે બનાસકાંઠા ના ખેડૂતો અલગઅલગ રીતે ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે ત્યારે કનવરજી વાધણીયા એ પણ આવક બમણી કરી દેશ ના ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.