ગાંધીનગરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઓછા વરસાદ અને અછતની સ્થિતિને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં સિઝનના પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતોના પાકને ઓછા વરસાદના કારણે નુકશાન થયુ છે. પાક ઉગ્યા બાદ પાકના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુપાલન માટે પણ મુશ્કેલીઓ સર્જાઇ છે. પશુ પાલકોને મદદ કરવા માટે સરકારે અગાઉથી આયોજન કર્યુ હતુ. સરકારે 4 કરોડ કીલો ઘાસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ઘાસ કિલો દીઠ રૂ.11થી રૂ.14ના ભાવે ખરીદવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે અનેક વિસ્તારોમાંથી અછતગ્રસ્ત જાહેર કરવા રજૂઆતો મળી છે. અછતગ્રસ્ત વિસ્તારમાં સરકાર દ્વારા રૂ.2 પ્રતિકીલોના ભાવે ઘાસ આપાય છે. 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. 51 તાલુકાઓને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. 1 ડિસેમ્બરથી અમલ થશે. 250 MMથી ઓછા વરસાદ થયો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. અત્યાર સુધી 125 MMથી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાતો હતો. બે હેક્ટર માટે જ મદદ કરવામાં આવશે.
નીતિન પટેલે કહ્યું કે પાક સુકાઈ ગયા હોય તેવા ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.6800ની મદદ કરાશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા બનાવાશે જ્યાં 2 માસ મદદ કરાશે. મોટા પશુદીઠ ૭૦ રૂપિયા લેખે મદદ કરવામાં આવશે. નાના પશુદીઠ ૩૫ રૂપિયા મદદ કરવામાં આવશે. મનરેગામાં 1૦૦ દિવસને બદલે ૧૫૦ દિવસ રોજગારી આપવામાં આવશે.