નવી દિલ્હીઃ એવુ લાગે છે કે રાહુલ ગાંધીની ટ્વીટની કોંગ્રેસની નવનિયુક્ત સરકારો પર તાત્કાલિક અસર થઈ ચૂકી છે. મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢ સરકારે પણ ખેડૂતોની દેવામાફીનો નિર્ણય લઈ લીધો છે.
पहली कैबिनेट मीटिंग के तीन बड़े फैसले -
1. 16 लाख 65 हजार से अधिक किसानों का 6100 करोड़ रूपये का कर्जा माफ.
2. धान का समर्थन मूल्य 2500 रूपये प्रति क्विंटल किया गया.
3. झीरम हमले के शहीदों को न्याय दिलाने के लिए SIT का किया गठन.
છત્તીસગઢ સરકારે ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાનો નિર્ણય લીધો અને રાજ્યના 16 લાખ 65 હજાર જેટલા ખેડૂતોનુ દેવુ માફ કરવામા આવ્યું છે. એટલુ જ નહીં પરંતુ અનાજનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય પણ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથે શપથ ગ્રહણ કરતાની સાથે જ તાત્કાલિક તેમણે પોતાનો દેવામાફી વાયદો પુરો કર્યો હતો. તેમણે ખેડૂતોના દેવામાફીની ફાઇલ પર હસ્તાક્ષર કરી 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાને જે વાયદાઓ કર્યા હતા જેમાં સૌથી મહત્વનો વાયદો ખેડૂતોની દેવામાફીનો હતો.