ખેડૂત આંદોલનને લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની દખલગીરી પર ભારતે કડક વલણ અપનાવતા શુક્રવારે નારજગી વ્યક્ત કરી હતી. સ્પષ્ટ કરી દીધું હતું કે તે આંતરિક બાબતોમાં દખલગીરી નહીં સ્વીકારે. જો કે આ બાદ ટ્રુડો પોતાના નિવેદન પર કાયમ કર્યા હતા અને બોલ્યા કે શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારો માટે કેનેડા હેંમેશા ઉભુ રહેશે.
અમે પાછળ હટવા અને સંવાદ તરફ વધતા પગલાને લઈને ખુશ છીએ- ટ્રુડો
આ દેશના આંતરિંક મામલામાં એક અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન
કેનેડાઈ રાજનાયિકને વાંધા અરજી સોંપી હતી
અમે પાછળ હટવા અને સંવાદ તરફ વધતા પગલાને લઈને ખુશ છીએ
ઓટાવામાં જ્યારે તેમને ભારત માટે હાલના પગલા ભરવા પર પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કેનેડા દુનિયામાં ક્યાંય પણ શાંતિ પૂર્ણ પ્રદર્શનના અધિકારો માટે હંમેશા ઉભુ રહેશે. અને અમે પાછળ હટવા અને સંવાદ તરફ વધતા પગલાને લઈને ખુશ છીએ.
આ દેશના આંતરિંક મામલામાં એક અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન
ભારતે કાલે કેનેડાના ઉચ્ચાયુક્ત નાદિર પટેલને જાણ કરી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે ખેડૂત આંદોલનના સંબંધમાં ટ્રુડો અને ત્યાના કેટલાક અન્ય નેતાઓએ ટિપ્પણી કરી દેશના આંતરિંક મામલામાં એક અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડાના રાજિનાયકને એમ પણ કહેવામાં આવ્યું કે આવી ગતિવિધિઓ જો ચાલી રહેશે તો તેમાં દ્વીપક્ષીય સંબંધોમાં ગંભીર અસર પડી શકે છે.
કેનેડાઈ રાજનાયિકને વાંધા અરજી સોંપી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેનેડાના ઉચ્ચાયુક્તોએ આજે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોર્યુ અને જાણ કરી હતી કે ભારતીય ખેડૂતો પાસેથી સંબંધિત મુદ્દાઓ પર કેનેડાના પ્રધાનમંત્રી, કેટલાક કેબિનેટ મંત્રીઓ અને સાંસદોની ટિપ્પણી અમારા આંતરિક મુદ્દાઓ પર અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન છે. સાથે કેનેડાઈ રાજનાયિકને વાંધા અરજી સોંપી હતી.
ટ્રુડોએ શું કહ્યું હતું?
ટ્રુડોએ ગુરુપુરબ નિમિત્તે કેનેડાના લોકોને ખાસ કરીને સિખોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વીડિયોમાં તેમણે ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ટ્રુડોએ કહ્યું, 'અમે તેમના પરિવાર અને મિત્રોની ચિંતા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઘણા લોકો માટે આ સત્ય છે. ' આંદોલનને સમર્થન આપતાં ટ્રુડોએ આગળ કહ્યું કે, 'કેનેડા હંમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારનો બચાવ કરશે. અમે વાતચીતમાં માનીએ છીએ. અમે અમારી ચિંતાઓ ભારતીય વહીવટી સમક્ષ મૂકી છે. હવે બધાએ સાથે આવવાનો સમય આવી ગયો છે.
ટ્રુડોના મંત્રીએ કરી હતી આ અપીલ
ટ્રુડો પહેલા કેનેડાના સંરક્ષણ પ્રધાન હરજિતસિંહે ટ્વિટર પર લખ્યું હતું કે, 'ભારતમાં શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ક્રૂરતા બતાવવી તે વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડે છે. મારા વિસ્તારમાં એવા ઘણા લોકો છે જેમના પરિવાર આ આંદોલનમાં છે અને તેઓ તેમની ચિંતા કરે છે. સ્વસ્થ લોકશાહી શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી આપે છે. હું આ મૂળભૂત અધિકારની સુરક્ષા કરવા અપીલ કરું છું. '