દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂતોની ટ્રેકટર રેલી શરુ થઇ ગઇ છે. દિલ્હીમાં અનેક સ્થળો પર ખેડૂતો તરફથી બેરિકેડ તોડવામાં આવી રહ્યાં છે. જેના કારણે પોલીસ અને ખેડૂતોનું જૂથ આમને-સામને જોવા મળી રહ્યું છે.
ગણતંત્ર દિવસ પર ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી નિકાળવામાં આવી છે. જેમા દિલ્હીમાં કેટલીક જગ્યા પર પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે.
#WATCH Protestors at Karnal bypass break police barricading to enter Delhi as farmers tractor rally is underway in the national capital#FarmLawspic.twitter.com/pzfJs6Ioef
અક્ષરધામ પહેલા નેશનલ હાઇવે 24 પર ખેડૂતો અને પોલીસ તરફી લગાવામાં આવેલા બેરિકેડસ તોડી નાંખવામાં આવ્યાં. ત્યારબાદ પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.
દિલ્હીના અક્ષરધામ મંદિર પહેલા નેશનલ હાઇવે 24 પર પોલીસે બેરિકેડ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોના જથ્થાને ટ્રેકટરો સાથે બેરિકોડ તોડીને દિલ્હી તરફ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઇને પોલીસે આંસૂ ગેસના ગોળ અને લાઠીચાર્જ કરી ખેડૂતોને ખસેડવા પડ્યા.
નોઇડા મોડ પર ફરી ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. ખેડૂતો અને પોલીસની વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે. ખેડૂતોએ બેરિકેડસને તોડીને ફંકી દીધો છે. ખેડૂતોએ કહ્યું છે કે પોલીસની લાપરવાહીના કારણે આ ટકરાવ જોવા મળ્યો છે. આ ઘર્ષણ પછી ખેડૂતોએ તેના રુટ પર જવા કહેવામાં આવ્યું છે.
નરેશ ટિકૈતે સરકાર પાસે કરી આ માગણી
ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે તેઓ ગણતંત્ર દિવસ મનાવામાં આવ્યાં છે, અમે શાંતિપૂર્ણ રેલી નિકાળી રહ્યાં છે અને નક્કી કરેલા રુટથી પરત આવી જઇશું. મારી સરકારને અપીલ છે કે તેઓ પોતાની જીદ છોડી દે અને એક નાની માગણી માની લે, બધા ખેડૂતો પોતાના ખેતરમાં જતા રહેશે.
નોઇડા મોડ પર ખેડૂતો તોડ્યા બેરિકેડ
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ બેરિકોડ તોડ્યા છે. ત્યાર બાદ પોલીસે આંસૂ ગેસના ગોળા છોડ્યા છે. આ સાથે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે.
ચિલ્લા બોર્ડર પર સ્ટંટ દરમિયાન ટ્રેકટર પલટયું
નોઇડા સેક્ટર 14 A ચિલ્લા બોર્ડર પર સ્ટંટ દરમિયાન દૂર્ઘટના ઘટી છે. ટ્રેકટર માર્ચ દરમિયાન કેટલાંક ખેડૂત સ્ટંટ કરી રહ્યાં હતા. ટ્રેકટરનું સંતુલન બગડતા પલટી ગયું. ટ્રેકટર પલટી ગયા પછી મહાનગર અધ્યક્ષ રાજીવ નાગર ઘાયલ થયા. અવસર પર હાજર લોકોમાં ખેડૂતોને ટ્રેકટરને સીધું કર્યું અને મહાનગર અધ્યક્ષને બહાર નીકળ્યાં.