કૃષિ બિલને લઇને ખેડૂતોનું પ્રદર્શન વધુ ને વધુ આક્રમક બનતું જાય છે. ખેડૂત-સરકારની આજની બેઠક પણ નિષ્ફળ ગઈ છે. હવે 9 ડિસેમ્બરે 11 વાગે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે.
ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આજે બેઠક
આજની બેઠક બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી
કૃષિમંત્રી નરેન્દ્રસિહં અને પીયુષ ગોયલની આગેવાનીમાં બેઠક
ખેડૂત-સરકારની આજની બેઠક પણ નિષ્ફળ ગઈ
ખેડૂત અને સરકાર વચ્ચેની સતત 5મી બેઠક નિષ્ફળ ગઈ છે. આજે બેઠકમાં સરકારે ખેડૂતો પાસે વધુ સમય માંગ્યો છે. હવે 9 ડિસેમ્બરે 11 વાગે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે. સરકાર કહે છે કે હવે અમે 9 ડિસેમ્બરે પ્રસ્તાવ લઇને આવીશું જયારે ખેડૂતોનો આગ્રહ છે કે આ કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવામાં આવે.
મોદી સરકાર હંમેશા ખેડૂતોની સાથે છેઃ તોમર
ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 5માં તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, મોદી સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ શંકાઓને દૂર કરવામાં આવશે, MSPમાં કોઇપણ પ્રકારનો બદલાવ નહીં કરીએ. 9 ડિસેમ્બરે ફરી બેઠક યોજાશે.
તોમરે કહ્યું કે, કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લવાયું છે. આંદોલન છોડીને ચર્ચાનો રસ્તો અપનાવવા અપીલ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે કોઇ સૂચન મળે. સરકાર સમાધાનનો રસ્તો તપાસશે. અનુસાશન સાથે આંદોલન કરતા ખેડૂતોને અભિનંદન.
બેઠકોમાં મુદ્દાઓ ઉકેલાઈ રહ્યા છે: તોમરનો દાવો
બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે MSP મુદ્દે ખેડૂતો ચિંતા ન કરે. MSP રહેશે જ. આ ઉપરાંત તેમણે આ બેઠકોને ફળદ્રુપ ગણાવી હતી અને ખેડૂતોને પોતાની અને દિલ્હીના નાગરિકોની સુવિધા સાચવવા માટે આ આંદોલન સમાપ્ત કરી દેવા વિનંતી કરી હતી.
બિલ રદ કરવા સિવાય તમામ માંગ સ્વીકારીશું: કેન્દ્ર સરકાર
ખેડૂતો સાથેની બેઠકમાં સરકારે કહ્યું છે કે સરકાર ત્રણ બિલ રદ કરવા સિવાય તમામ માંગ સ્વીકારવા તૈયાર છે. તેમણે ખેડૂતો સામે લાગેલ પરાળ બાળવાના કેસ પણ પાછા ખેંચી લેવાની ઓફર આપી છે. જો કે ખેડૂતોએ કહ્યું છે કે જો સરકાર બિલ રદ નહીં કરે તો ખેડૂત આગેવાનો મિટિંગમાંથી વોક આઉટ કરી દેશે.
આ તરફ સરકારે અપીલ કરી છે કે વૃદ્ધો અને બાળકો આંદોલન સ્થળ છોડીને પાછા ઘરે ચાલ્યા જાય.
સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકમાં 15 મિનિટનો ટી બ્રેક
ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક તેની ચરમસીમાએ પહોંચી છે. હવે બેઠકમાં 15 મિનિટનો ટી બ્રેક પડ્યો છે. ખેડૂત સંગઠનના નેતાઓ કહે છે કે અમે સરકાર પાસેથી ચર્ચા નહીં નક્કર જવાબ માંગીએ છીએ. એ પણ લેખિતમાં હવે ચર્ચા બહુ થઇ ગઈ.
એક તરફ સરકાર કાયદો રદ કરવા સિવાયનો કોઈ રસ્તો કાઢવા સૂચવે છે જયારે ખેડૂતો કાયદો રદ કરવાની તેમની માંગ ઉપર મક્કમ છે
બેઠક માટે ખેડૂત નેતાઓ વિજ્ઞાન ભવન પહોંચ્યા
Delhi: Farmers' representatives reach Vigyan Bhawan to hold fifth round of talks with the Central government on the farm laws. "We want the withdrawal of the laws. We won't accept government's offer to amend the laws," says Harsulinder Singh of Doaba Kisan Sangharsh Committee. pic.twitter.com/sCRT0HjWXQ
ખેડૂત સંગઠને કહ્યું આજે આર-પારની લડાઇ, માત્ર કૃષિ કાયદો રદ્દ કરવાની થશે વાત
કૃષિ કાયદાના વિરુદ્ધ ટિકરી બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે સરકાર વારંવાર તારીખ આપી રહી છે, ત્યારે સંગઠનોએ એકમતે નિર્ણય લીધો છે કે આજ વાતચીતનો અંતિમ દિવસ છે. ખેડૂત સંયુક્ત મોરચાના પ્રધાન રામપાલ સિંહે કહ્યું કે આજે આર-પારની લડાઇ કરીને આવીશું, રોજ-રોજ બેઠક નહીં થાય. આજે બેઠકમાં કોઇ વાતચીત નહી થાય, કાયદો રદ્દ કરવાની જ વાત થશે.
કૃષિ કાયદાના વિરોધ વચ્ચે PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક
કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી બોર્ડર પર 10 દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે 5માં તબક્કાની વાતચીત થવાની છે. ત્યારે સરકાર અને ખેડૂતોની બેઠક અગાઉ પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક થઇ રહી છે. આ બેઠકમાં રક્ષા મંત્ર રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર છે.
દિલ્હીની નોઇડા બોર્ડર પર ખેડૂતોનો વિરોધ યથાવત
કૃષિ કાયદાના વિરોધને લઇને દિલ્હીની નોઇડા બોર્ડર ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. જો કે બીજી તરફ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર સાથે આજે ફરી બેઠક યોજાશે.
ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ
કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને દિલ્હીની બોર્ડર પર રોકવા આદેશ આપવામાં આવ્યો છે. બદરપુર સહિત તમામ બોર્ડર પર સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. દિલ્હીની તમામ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોને પ્રવેશતા રોકવા કાંટાળા વાયરના બેરિકેટ્સ લગાવામાં આવ્યાં છે.
જો કે બીજી તરફ ખેડૂત સંગઠનો દ્વારા ચિમકી આપવામાં આવી હતી કે જો આજે યોજાનારી બેઠકમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલન ઉગ્ર બનવાની શક્યતા છે.
આજે યોજાનારી વાતચીત પહેલા જ કેન્દ્ર સરકાર પર દબાણ નાંખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ સિંઘુ બોર્ડર પર થયેલ મહાપંચાયત બાદ ખેડૂત સંગઠનોએ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું. આ સાથે જ ચેતવણી આપવામાં આવી કે કૃષિ કાયદો પરત નહીં ખેંચવામાં આવે તો ખેડૂતોના હકમાં ભારત બંધ રહેશે. આ સાથે જ દેશભરમાં બધા ટોલ ફ્રી કરી દેવામાં આવે.
બોક્સિંગ કોચ સંધૂ દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરશે
ખેડૂતોના સમર્થનમાં શુક્રવારના રોજ કેટલીક હસ્તિઓએ પુરસ્કાર સન્માન પરત કર્યું. ભારતને પહેલા ઓલમ્પિક મેડલ અપાવનારા રાષ્ટ્રિય બોક્સિંગ કોચ ગુરબક્સ સિંહ સિધૂએ કહ્યું છે કે જો સરકાર ખેડૂતોની માગ નહી માને તો તેઓ દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરી દેશે.