કૃષિ કાયદાના મામલા પર દિલ્હીની સીમાઓ પર જારી ખેડૂત આંદોલનને લગભગ 50 દિવસ પુરા થવાની સાથે છે. સરકાર અને ખેડૂત સંગઠનોમાં આ મામલા પર કોઈ સહમતિ બની નથી. આ દરમિયાન આજે ફરી સુપ્રીમ કોર્ટમાં આ મામલાને સાંભળશે. સર્વોચ્ચ અદાલતમાં કૃષિ કાયદા અને બોર્ડર પર પ્રદર્શનને લઈને સુનવણી થશે.
આ વિવાદમાં કોર્ટનો રોલ નથી -ખેડૂત
71 લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે
વિપક્ષ સતત મોદી સરકારને ઘેરી રહી છે
71 લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે
હરિયાણામાં કરનાલમાં ગત મુખ્યમંત્રી મનોહર ખટ્ટરની સભાવાળી જગ્યા પર થયેલી બબાલ પર હવે એક્શન લેવાઈ રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલામાં 71 લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે. આ મામલામાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોના હંગામાના કારણે સીએમ ખટ્ટકને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો.
વિપક્ષ સતત મોદી સરકારને ઘેરી રહી છે
સુપ્રીમ કોર્ટની સુનવણી ઉપરાંત એક તરફ ખેડૂત આંદોલન સતત ચાલી રહ્યું છે. દિલ્હીની ઠંડીમાં હજારો ખેડૂતો ડટેલા છે. ગત દિવસોમાં વધું એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. બીજી તરફ ખેડૂતોના મામલામાં વિપક્ષ સતત મોદી સરકારને ઘેરી રહી છે. ત્યારે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો છે.
આ વિવાદમાં કોર્ટનો રોલ નથી
સુપ્રીમ કોર્ટમાં સોમવારે કૃષિ કાયદા અને બોર્ડર પર ચાલુ પ્રદર્શનને લઈને સુનવણી થવાની છે. ખેડૂતોની સાથે ગત બેઠકમાં જ્યારે કોઈ પરિણામ આવ્યું નહોંતુ ત્યારે સરકારે કહ્યું હતું કે હવે આ મામલામાં સુપ્રીમ કોર્ટ જ સંભાળે તો યોગ્ય રહેશેય જો કે ખેડૂત સંગઠનનું કહેવું છે કે આ વિવાદમાં કોર્ટનો રોલ નથી. તે પોતાનું આંદોલન ચાલુ રાખશે.