કેન્દ્રના ત્રણેય નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ ગાજીપુર, સિંધુ અને ટીકરી સરહદ પર ગતિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.
કૃષિ કાયદાના વિરોધમાં ગાજીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર સ્થિતિ યથાવત્
કૃષિ કાયદાને રદ્દ કરવાને લઇને ખેડૂતની સરકારની સામે આરપારની લડાઇ
ખેડૂતોનો ફરીથી ધરણા સ્થળો પર પરત ફરવાની ગતિવિધી શરુ
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી નજીકની ગાજીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર હજુ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કાયદાને રદ્દ કરવાને લઇને અડગ ખેડૂત આ મુદ્દા પર સરકારની સાથે આર-પારની લડાઇનું એલાન કરી ચૂક્યાં છે. જેને લઇને દિલ્હીની સરહદ પર ખેડૂતોનું આંદોલન 66માં દિવસ ચાલુ છે. ખેડૂતઓએ સરકારને જલ્દી તેની માંગણી માનવા અપીલ કરી છે.
People continue to remain at Ghazipur border, as farmers' agitation against the three #FarmLaws of the Central Government goes on. pic.twitter.com/9bNLKKibuP
સ્વતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા પછી જ્યાં બધા સરહદો પર ખેડૂતોની સંખ્યા ઘટી ગઇ હતી, જે એકવાર ફરી વધવા લાગી છે. 26 જાન્યુઆરી પછી એવું લાગી રહ્યું હતું કે હવે આંદોલન લગભગ પુરુ થઇ ગયું છે, પરંતુ ગુરુવાર સાંજે ગાજીપુર પર રહેલા ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતના વીડિયો ટીવી ચેનલ પર ચાલ્યા પછી માહોલ ફરીથી બદલાઇ ગયો અને ખેડૂતોનો ફરીથી ધરણા સ્થળો પર પરત ફરવાની ગતિવિધી શરુ થઇ ગઇ છે.
Farmers' protest against three central farm laws at Tikri on Delhi-Haryana border enters 66th day; visuals from the protest site. pic.twitter.com/JXcw4FGy7I
એવુ જ ચિત્ર ટીકરી અને સિંધુ સરહદ પર જોવા મળી રહ્યું છે. ગુરુવારના રોજ ગાઝિયાબાદ પ્રશાસન દ્વારા ગાજીપુર સરહદ પર વીજળી-પાણીનું કનેકશન કાપી નાંખ્યા પછી ટેન્ટ હટાવ્યા બાદ ફરીથી ટેન્ટ લગાવાનું શરુ થઇ ગયું છે. જો કે તેની મંગળવારની ઘટનાને ધ્યાનમાં લઇ બધી જગ્યા પર મોટી સંખ્યા પર પોલીસ બળ પણ તૈનાત કરી નાંખ્યા છે.
રાકેશ ટિકૈતનું કહેવું છે કે અમે ધરણાસ્થળ ખાલી નહી કરીએ, અમે પહેલા અમારા મુદ્દાઓ પર ભારત સરકાર સાથે વાત કરીશું. સરકાર જે પણ કરે અમે ગાજીપુર સરહદ છોડીશું નહીં. જ્યાં સુધી કાયદાઓ રદ્દ નહી થાય અને MSP પર નવો કાયદો નહી બની જતો ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.
Heavy security deployment continues at Singhu on Delhi-Haryana border where farmers' protest against three agriculture laws enters Day 66. pic.twitter.com/O6m2GRtzxq
ઉલ્લેખનીય છે કે ખેડૂતો હાલમાં બનાવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા ધ પ્રોડયૂરસર્સ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ, 2020, ધ ફાર્મર્સ (એમ્પાવરમેંટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેંટ ઓન પ્રાઇસ એશ્યોરેંસ એન્ડ ફાર્મ સર્વિસેસ એક્ટ, 2020 અને ધ એસંશિયલ કમોડિટીઝ (એમેંડમેંટ) એક્ટ, 2020નો વિરોધ કરી રહ્યાં છે.