નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન ચાલૂ છે. આ દરમિયાન સંસદમાં સત્ર પણ ચાલી રહ્યું છે. જ્યાં વિપક્ષ તરફથી આ મામલાને જોર શોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુરુવારે 10 વિપક્ષી દળોના સાંસદોએ ખેડૂત આંદોલનના મામલા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોને આંદોલન સ્થળ પર જે એક્શન લેવામાં આવી રહ્યા છે. તેમને રોકવામાં આવ્યા.
વિપક્ષી સાંસદોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે
આ પત્રમાં 10 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
આંદોલન સ્થળ પર વીજળી, પાણીનો સપ્લાય શરુ કરી દેવામાં અપીલ કરાઈ
આ પત્રમાં 10 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
વિપક્ષી સાંસદોએ અમિત શાહને ચિઠ્ઠી લેખીન માંગ કરવામાં આવી છે. આંદોલન સ્થળ પર વીજળી, પાણીનો સપ્લાય શરુ કરી દેવામાં આવે. સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા છે તેને બંધ કરવામાં આવે. આ પત્રમાં 10 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં દિગ્વિજય સિંહ, સંજય સિંહ, મનોજ ઝા, રામ ગોપાલ યાદવ, તિરુચી સિવા સહિત અન્ય 10 સાંસદો સામેલ છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ દળોની સાથે બેઠક કરી ચર્ચા કરી
રાજ્ય સભામાં લાંબા હોબાળા બાદ વિપક્ષ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા માટે માની છે. પરંતુ લોકસભામાં હજું સંકટ ચાલુ છે. વિપક્ષની માંગ છે કે ખેડૂતોના મુદ્દા પર અલગ ચર્ચા થાય અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર અલગ વાત થાય. ગુરુવારે આને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ દળોની સાથે બેઠક કરી ચર્ચા કરી અને સદનની કાર્યવાહી સુચારુ રીરે ચલાવવાની વાત કરી હતી.
ગુરુવારે 8 વિપક્ષી દળોના નેતાઓ ખેડૂતોને મળવા માટે ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે ગુરુવારે 8 વિપક્ષી દળોના નેતાઓ ખેડૂતોને મળવા માટે ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા હતા. અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતને મળવા પહોંચેલા વિપક્ષને દિલ્હી પોલીસે રોક્યા હતા. પોલીસે નેતાઓને ખેડૂતને મળવા દીધા નહોંતા. આ બાદ વિપક્ષી દળોના નેતાઓને પાછા ફરવું પડ્યું. પોલીસ વિપક્ષી દળોના નેતાઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ હતી. વિપક્ષી દળોના નેતાઓ ટીએમસી નેતા સૌગત રોય, શિરોમણી અકાળી દળના હરસિમરત કૌર બાદલ, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકેના એમ કનિમોઈ પણ સામેલ હતા.