ખેડૂત નેતાઓની બેઠકમાં રવિવારે અને સોમવારે આંદોલન ઉગ્ર કરવાની રણનીતિ તૈયાર કરાઈ છે. ખેડૂત સંગઠનના નેતાઓએ જાહેરાત કરી છે કે રવિવારે દિલ્હી ચલો માર્ચ શરુ કરશે અને 14 ડિસેમ્બરે ભૂખ હડતાલ પર બેસશે.
ભાજપ 700 જગ્યાઓ પર લગાવશે 'ચૌપાલ'
આવતી કાલે ભૂખ હડતાળ કરશે ખેડૂતો
આજે દિલ્હી ચલો કહીને હાઈવે ચક્કાજામ કરવાની વકી
કૃષિ કાયદાના ફાયદા જણાવવા માટે ભાજપ 700 જગ્યાઓ પર વ્યવસ્થા કરશે જ્યાંથી કૃષિ કાયદાના ફાયદા ગણાવવામાં આવશે. બિહારના બખ્તિયારપુરથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આ કાર્યક્રમનો શુભારંભ કરશે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જાયવાલે જણાવ્યું કે પાર્ટી બિહારના તમામ 243 વિધાનસભા પર કાયદાના ફાયદા જણાવવા માટે વ્યવસ્થા ઉભી કરશે.
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે
કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજથી ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે
આવતીકાલે ખેડૂતો સવારથી સાંજ સુધી પ્રતિક ઉપવાસ કરશે
માતાઓ બહેનોને આંદોલનમાં સામેલ થવા કર્યું આહ્વાન
કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ
ભાજપ દેશભરમાં 700 સ્થળોએ ખેડૂત સભાઓનું આયોજન કરશે
બિહારથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આ કાર્યક્રમનો શુભારંભ કરશે
આંદોલન ડાબેરીઓ અને માઓવાદીઓના હાથમાં હોવાનો પીયુષ ગોયલનો આરોપ
ખેડૂતોએ કહ્યું કે કોઈ ડાબેરી કે માઓવાદી આંદોલનમાં હોય તો સરકાર કાર્યવાહી કરે
રવિવારે ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ
આજે હાઈવે ચક્કાજામ કરાશે
રવિવારે સવારે 11 વાગ્યે રાજસ્થાનના શાહજહાંપુરના ખેડૂતો જયપુર-દિલ્હી નેશનલ હાઈવે દ્વારા દિલ્હી ચલો માર્ચ શરુ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ શનિવારે જણાવ્યું કે,આજે 11 વાગ્યે રાજસ્થાનનથી જયપુર-દિલ્હીવાળો જે રોડ છે તેને રોકવા માટે હજારોની સંખ્યામાં ખેડૂત ટ્રેક્ટર માર્ચ કરશે.'
14 તારીખે ઉપવાસ પર બેસશે ખેડૂત
કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો 14 ડિસેમ્બરે ઉપવાસ પર પણ બેસવાના છે. ખેડૂતો સોમવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ભૂખ હડતાલ કરશે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા આ વિશેની જાણકારી આપીને કહ્યું છે, 'તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને અધ્યક્ષ સ્ટેજ પર 14 તારીખે ઉપવાસ પર બેસશે. અમે અમારી માતાઓ અને બહેનોને આ આંદોલનમાં જોડાવવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. તેમની રહેવાની અને ટોઈલેટની વ્યવસ્થા કર્યા બાદ તેમને આંદોલનમાં જોડીશું.'
કૃષિ કાયદો નાબૂત કરવાની ખેડૂતોની માંગ
ખેડૂત નેતાઓએ સરકાર સાથેની વાતચીતનો રસ્તો ખુલ્લો હોવાની વાત પણ કરી છે. તેમણે રવિવારે પોતાની માંગ અંગે જણાવતા કહ્યું કે વાતચીત માટે તૈયારી છીએ પરંતુ ત્રણ કૃષિ કાયદાને નિરસ્ત કરવા પર વાતચીત થશે. સિંધૂ બોર્ડર પર સંવાદદાતા સંમેલનને સંબોધિત કરીને ખેડૂત નેતા કંપલપ્રીત સિંહ પન્નૂએ કહ્યું કે દેશના ઘણાં ભાગોમાંથી ખેડૂતો અહીં આવી રહ્યા છે અને તેઓ આવનારા સમયમાં આંદોલનને ઊંચા સ્તર પર પહોંચાડશે.