ખેડૂત આંદોલનને 300 દિવસ પુરા થયા છે. 27 સપ્ટેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે.
ખેડૂતોએ 27 સ્ટેમ્બરે ભારત બંધ માટે સમર્થન માંગ્યુ
નાગરિકો પાસે કરવામાં આવી રહી છે અપીલ
લોકો વિવાદસ્પદ કૃષિ કાયદામાં તેમની સાથે સામેલ થાય
ખેડૂતોએ 27 સ્ટેમ્બરે ભારત બંધ માટે સમર્થન માંગ્યુ
કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી સંયુક્ત કિસાન મોર્ચા (SKM)ના નેતૃત્વમાં 27 સ્ટેમ્બરે ભારત બંધ માટે સમર્થન ભેગુ કરવાના હેતુંથી શનિવારે હરિયાણાના ગ્રુરુગ્રામમાં મશાલ રેલી આયોજિત કરવાની તૈયારીઓ છે. સમાચાર મુજબ મશાલ રૈલી શહેરના સદર બજાર વિસ્તારમાં સાંજે 6 વાગે શરુ થશે અને સોહના રોડ પર ખતમ થશે. રેલીમાં ભાગ લેનારા ખેડૂતો લાલટેનની સાથે માર્ચ કરશે અને નાગરિકોને પોતાના વિરોધની સાથે એકજૂથતા વ્યક્ત કરવાનો આગ્રહ કરશે કે કેવી રીતે નવો કૃષિ કાયદો તેમના માટે સંકટ છે.
ઓલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલીમાં 200માં વધારે લોકો સામેલ થઈ શકે છે. એક સભ્યે કહ્યું કે ખેડૂત અન્ન દાતા છે અને આ અનિવાર્ય છે કે લોકો વિવાદસ્પદ કૃષિ કાયદામાં તેમની સાથે સામેલ થાય.
આ છે ખેડૂતોની માંગ
દેશભરના ખેડૂત ગત વર્ષ 26 નવેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ કાયદાની વિરુદ્ધ અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ત્રણ કાયદાને પાછા લેવામાં આવે અને તેમને પાકનો ન્યૂનતન સમર્થન મૂલ્યો પર કાયદાની ગેરન્ટી આપવામાં આવે. જો કે સરકારે સતત કહ્યું છે કે નવા કાયદા ખેડૂત સમર્થક છે. એસકેએમ અને ભારતીય ખેડૂત સંઘના બેનર નીચે ખેડૂત નેતાઓના કેન્દ્ર સરકારની સાથે અનેક દોરની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ કોઈ વાસ્તવિક સફળતા નહીં મળી છે અને ગતિરોધ હજું પણ બનેલો છે.
27 સપ્ટેમ્બરે ભારત બંધ
ખેડૂત આંદોલનની આગેવાની કરી રહ્યા છે 40થી વધારે ફાર્મા યૂનિયનોના સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાના 3 કૃષિ કાયદાના વિરોધમાં વ્યાપક રુપથી ભાર મુકવા માટે 27 સપ્ટેમ્બરના ભારતના બંધના આહ્વાન કર્યું છે. દેશ લોકોની સાથે સાથે રાજનીતિક દળોના લોકતંત્ર અને સંઘવાદના સિધ્ધાંતોની રક્ષા માટે ખેડૂતની સાથે ઉભા થવા માટે કહેતા કહ્યું એસ કે એમે કહ્યું કે ભારત બંધ ખેડૂત વિરોધી મોદી સરકારની વિરુદ્ધ મનાવવામાં આવશે. તેમના ઐતિહાસિક સંઘર્ષને 10 મહિના પૂરા થઈ ગયા છે.
આ લોકોને મળશે રજા
ભારત બંધ સોમવારે સવારે 6 વાગે સાંજે 4 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન દેશમાં તમામ સરકારી અને ખાનગી કાર્યાલય, શૈક્ષણિક અને અન્ય સંસ્થાન, દુકાન, ઉદ્યોગ અને કમર્શિયલ પ્રતિષ્ઠાનની સાથે સાથે સાર્વજનિક કાર્યક્રમ બંધ કરશે. ત્યારે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, રાહત અને બચાવ કાર્ય સહિત તમામ ઈમરજન્સી પ્રતિષ્ઠાનોની છૂટ આપવામાં આવશે.