દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને કિસાન સભા દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હતુ અને ઉપલેટાના બાવલા ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને કિસાન સભા દ્વારા આપ્યું સમર્થન
ઉપલેટાના બાવલા ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો છે. દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને કિસાન સભા દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હતુ અને ઉપલેટાના બાવલા ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો.
કૃષિ નેતાઓની અટકાયત
ઉપલેટામાં ત્રણ કૃષિ કાળા કાયદાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાત કિસાન સભાના પ્રમુખ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા કોરોના મહામારી લઈને જાહેરનામા ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજે બંધનું એલાન
કૃષિ કાયદાની સામે આજે ખેડૂતોના આંદોલનને ચાર મહિના પૂરા થઈ ગયા છે ત્યારે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધના એલાન પર પંજાબ અને હરિયાણામાં બંધની અસર જોવા મળી રહી છે. 12 કલાક લાંબા બંધમાં પંજાબ અને હરિયાણામાં બંધની મોટી અસર જોવા મળી રહી છે. સામાન્ય જન જીવન પણ પ્રભાવિત થયું છે. ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાં રેલના પાટાઓ પર ચક્કાજામ કર્યો હતો.
ક્યાં કેવી અસર
દિલ્હીથી ચંડીગઢ, અમૃતસર અને કાલકા જતી ઘણી બધી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. ગાઝીપૂર બોર્ડર પર બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે સંયુક્ત કિસાન મોરચાના નેતા દર્શન પાલે સંદેશ આપ્યો છે કે પ્રદર્શનકારી ખેડૂતો આજે શાકભાજી અને દૂધની આપૂર્તિ પણ રોકી દેશે. વિરોધ કરનારા ખેડૂતોને શાંતિ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.