દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને ગુજરાતથી ટેકો મળી રહ્યો છે. આજે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
કૃષિ કાયદા સામે કોંગ્રેસનો વિરોધ
અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે બેનર સાથે વિરોધ
દિલ્લીમાં ચાલતા આંદોલનને સમર્થન
ખેડૂતો દ્વરા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના સમર્થનમાં અમદાવાદમાં કોંગ્રેસે પણ ગાંધી આશ્રમખાતે વિરોધ દર્શાવ્યો હતો. અને આંદોલનને સમર્થન આપ્યું હતુ. જેને પગલે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
સુરત, ભરૂચ, અમદાવાદ સહિત ગુજરાતમાં પણ ખેડૂતોને સમર્થન
ભરૂચ, સુરત અમદાવાદ સહિત ખેડૂત સંગઠનો દ્વારા અને ખેડૂતો દ્વારા ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ આંદોલનને સમર્થન અપાઈ રહ્યું છે.
ખેડૂતોનો વિરોધ 9માં દિવસે પણ યથાવત
દિલ્હી-હરિયાણા સરહદે ખેડૂતોનો જમાવડો જેમનો તેમ છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને ચા-બિસ્કીટ અપાયા છે અને સિંઘુ બોર્ડર પર બપોરના ભોજનની તૈયારી થઈ રહી છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આવતીકાલે સરકાર સાથે ફરી બેઠક યોજાવાની છે.
દિલ્હીમાં ખેડૂત વિરોધનો મામલે ભરુચનો ખેડૂત સમાજ સમર્થનમાં સામે આવ્યો છે અને આ મામલે વાલિયા મામલતદારને રાષ્ટ્રપતિને સંબોધને પત્ર લખી આવેદન આપ્યુ અને મામલતદાર કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા
આંદોલનને ગુજરાતના ખેડૂતોનું સમર્થન
કૃષિ કાયદાઓનો વિરોધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેને ગુજરાતના ખેડૂતોનું પણ સમર્થન મળ્યું છે. દિલ્હીમાં ગુજરાતના ઘણી સંખ્યાના ખેડૂતો પહોંચ્યાં છે.
ખેડૂતોની ચેતવણી
ભારતીય ખેડૂત યુનિયનના ખેડૂતો રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો આજે સરકાર માંગણી નહી માને તો આંદોલન હાથમાંથી બહાર નીકળી જશે. ગાજીપુર સીમા પર 12 વાગે રણનીતિ બનાવવા માટે પંચાયત થશે. સરકાર ઝડપથી કાયદો પરત ખેંચી લે.
અમિત શાહ અને કૃષિમંત્રી વચ્ચે બેઠક
ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાનારી બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. ખેડૂતોએ એક ડ્રાફટમાં કુલ આઠ માગણી રાખી છે, જેને લઇને ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં કુલ 40 ખેડૂત સંગઠન સામેલ થશે.
ખેૂડતોએ મોકલી આપત્તિ (વાંધા)ની યાદી
ખેડૂત સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારને આપત્તિઓની એક યાદી સોંપવામાં આવી છે. જેમાં ખેડૂતોએ કૃષિ કાયદાની સાથે સાથે વાયુ ગુણવત્તા અધ્યાદેશ અને પ્રસ્તાવિત વીજળી (સંશોધન) બીલને લઇને પણ આપત્તિઓ દર્શાવી છે.
MSP પર અડ્યા બંને પક્ષ
ખેડૂતોનું આંદોલન ચાલુ છે ત્યારે હવે ખેડૂત સંગઠનો દ્વારા જણાવામાં આવ્યું છે કે સરકાર દ્વારા કાયદો પરત લેવો પડશે. બીજી તરફ સરકાર પણ ખેડૂતોની ફરિયાદ દૂર કરવા તૈયાર છે, પરંતુ કાયદા પર ટસ થી મસ થવા માંગતી નથી. જેને લઇને સ્થિતિ ગંભીર બની રહી છે.
ખેડૂતો માટે આજનો દિવસ છે ઘણો મહત્વનો
કૃષિ વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. આજ રોજ અમિત શાહ અને પંજાબના મુખ્યમંત્રી વચ્ચે બેઠક, ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સિંધુ બોર્ડર પર પહોંચશે, જ્યારે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી એકવાર બેઠક યોજાશે.
શું કહે છે કૃષિમંત્રી
તોમરે કહ્યું કે, જયારે કૃષિ કાયદા બન્યા હતા ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોમાં ભ્રમ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારે 14 ઓકટોબર અને 13 નવેમ્બરે ખેડૂતોની સાથે બે ચરણની વાતચીત કરી હતી, તે સમયે પણ સરકારે ખેડૂતોને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો રસ્તો ન અપનાવો. સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે. કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં એમએસપી વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યકત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.
દોઢ મહિના પહેલાં બનેલા ત્રણ કાયદા. આ ત્રણ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો 26-27 નવેમ્બરે દિલ્હી ચલોની અપીલ સાથે દેખાવ કરવાની તૈયારીમાં છે. પંજાબના ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ પ્રદર્શનમાં 1 લાખથી વધારે ખેડૂતો જોડાશે. પણ કેમ ખેડૂતો દિલ્હી જવા પર અડગ છે? તે ત્રણ કાયદા શું છે જેનો વિરોધ થઇ રહ્યો છે?
કેટલા રાજ્યોના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે?
તેમાં મુખ્ય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશના ખેડૂતો પણ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરના નેતૃત્વમાં દિલ્હી પહોંચી રહ્યા છે. જો કે, ઉત્તર પ્રદેશમાં આગ્રામાં જ ખેડૂતોને રોક્યા અને મેઘા પાટકરની ધરપકડ કરી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ખેડૂત આંદોલનને આખા દેશમાંથી 500 સંગઠનોનું સમર્થન છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડીનેશન કમિટી(AIKSCC)નું કહેવું છે કે, ખેડૂતોને જ્યાં પણ દિલ્હી જવાથી રોકવામાં આવશે, તેઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરશે.
ખેડૂતોનું આંદોલન કરવા પાછળનું કારણ શું છે?
મોદી સરકાર સંસદના છેલ્લા સત્રમાં ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદા લાવી હતી, આ ત્રણ કાયદા છે: કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020, આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020. આ ત્રણેય સંસદમાં પસાર થઇ ગયા છે અને કાયદો પણ બની ગયા છે. ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહનું કહેવું છે કે, આ કાયદા ખેતી-ખેડૂતની કબર ખોદવા માટે બનાવ્યા છે. ત્રણ કાયદા પરત લેવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
સરકારનું શું કહેવું છે?
અત્યાર સુધી જે ખબર પડી છે તે પ્રમાણે, સરકાર ત્રણ કાયદાને પરત નહિ લે. સરકારનો દાવો છે કે આ કાયદા પાસ થવા એ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેનાથી ખેડૂતોની જિંદગી બદલાઈ જશે. વડાપ્રધાન મોદીએ આ કાયદા આઝાદી પઢી ખેડૂતોને એક નવી આઝાદી આપવા માટે બનાવ્યા છે. મોદીનું કહેવું છે કે, ખેડૂતોને MSPનો ફાયદો મળવાની વાત ખોટી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ કાયદાને મહત્ત્વપૂર્ણ, ક્રાંતિકારી અને ખેડૂતો માટે ફાયદાકારક કહ્યા હતા. જો કે, તેમની જ સરકારમાં સહયોગી રહેલા શિરોમણી અકાલી દળે આ કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અકાલી દળના સાંસદ અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે આ કાયદાના વિરોધમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. બાદમાં અકાલી દળ પણ NDAથી 22 વર્ષ બાદ અલગ થઈ ગયું
શું છે તે ત્રણ કાયદા?
1. ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને બજારની બહાર પાક વેચવાની સ્વતંત્રતા રહેશે. કાયદામાં રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. તે ઉપરાંત માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો કરવાની વાત પણ આ કાયદામાં છે.
2. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
આ કાયદામાં કૃષિ કરાર (એગ્રીકલ્ચર એગ્રીમેન્ટ) પર નેશનલ ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે. તે કૃષિ ઉત્પાદનોના વેચાણ, ફર્મ સેવાઓ, કૃષિ બિઝનેસ ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારીઓ અને રિટલરોની સાથે ખેડૂતોને જોડવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણનો પુરવઠો, પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવી, લોનની સુવિધા અને પાક વીમાની સુવિધા આપવાની વાત આ કાયદામાં છે.
3. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
આ કાયદામાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને જરૂરી વસ્તુઓની લિસ્ટમાંથી દૂર કરવાની જોગવાઈ છે. સરકારના અનુસાર, તેનાથી ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકશે કેમ કે, માર્કેટમાં હરીફાઈ વધશે.
આ 3 કાયદાઓ પર ખેડૂતોને શેનો ડર છે અને સરકારનો બચાવ શું છે?
ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020 અંગે ખેડૂતોનો ડર છે કે, MSPની સિસ્ટમ નહિ રહે. ખેડૂતો જો માર્કેટ બહાર પાક વેચશે તો માર્કેટ નહિ બચે. ઈ-નામ જેવા સરકારી પોર્ટલનું શું થશે? જેમાં સરકાર પોતાનો બચાવ કરતા જણાવે છે કે, MSP પહેલાંની જેમ જ કાયમ રહેશે. શાકમાર્કેટ યથાવત રહેશે બલકે ત્યાં પહેલાંની જેમ જ વેપાર થશે. નવી વ્યવસ્થાથી ખેડૂતોને માર્કેટ સાથે અન્ય સ્થળોએ પણ પાક વેચવાનો વિકલ્પ મળશે. માર્કેટમાં ઈ-નામ ટ્રેડિંગ યથાવત રહેશે.
ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020 પર ખેડૂતોને ભય છે કે, કોન્ટ્રોક્ટ અથવા એગ્રિમેન્ટ કરવાથી ખેડૂતોનો પક્ષ નબળો પડશે. ખેડૂતો કિંમત નક્કી નહિ કરી શકે. નાના ખેડૂતો કેવી રીતે કોન્ટ્રેક્ટ ફોર્મિંગ કરશે? વિવાદમાં મોટી કંપનીઓને ફાયદો થશે. જેમાં સરકાર પોતાનો બચાવ કરતા જણાવે છે કે, કોન્ટ્રેક્ટ કરવો કે નહિ તેની ખેડૂતોને આઝાદી મળશે. ખેડૂતો તેમની ઈચ્છા મુજબ જે-તે કિંમતમાં પાક વેચી શકશે. દેશમાં 10 હજાર FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રૂપ્સ) બની રહ્યા હતા. આ FPO નાના ખેડૂતોને સાથે રાખી પાકને માર્કેટમાં યોગ્ય કિંમતે વેચાણ કરાવશે. વિવાદની પરિસ્થિતિમાં કોર્ટ જવાની જરૂરિયાત નહિ રહે. સ્થાનિક લેવલે વિવાદનું નિરાકરણ આવશે.
આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020 પર ખેડૂતોનો ભય એવો છે કે, મોટી કંપનીઓ આવશ્યક વસ્તુઓનું સ્ટોરેજ કરશે. તેનાથી કાળાબજાર વધશે. જેમાં સરકારનું કહેવું છે કે, ખેડૂતોના પાક ખરાબ થવાની આશંકા દૂર થશે. તેઓ બટાકા અને ડુંગળી જેવા પાક કોઈ પણ ચિંતા કર્યા વગર ઉગાડી શકશે. એક લિમિટ કરતા વધારે કિંમતો વધી જવા પર સરકાર પાસે તેના પર કાબૂ મેળવવાની શક્તિ હશે. ઈન્સ્પેક્ટર રાજ નહિ રહે. ભ્રષ્ટાચાર પણ નહિ થાય.