16મેના રોજ ખેડૂતો અને મહિલાઓ પર લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતોએ આયુક્ત કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી.
ખેડૂત આંદોલન વધારી મોદી સરકારની ચિંતા
લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતોએ આયુક્ત કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી
જિલ્લા પ્રશાસને આંદોલન કરી રહેલા ખેડૂતોને વાતચીત કરવા માટે આપ્યુ આમંત્રણ
હિસારમાં મંડળ આયુક્ત કાર્યાલય ઘેરાવને લઈને ખેડૂત ક્રાંતિમાન પાર્કમાં પહોંચવાનું શરૂ થઈ ગયા છે. જીંદની તરફથી આવનાર ખેડૂત બરવાલા થતા બાડો પટ્ટી ટોલ પર એકત્ર થઈ રહ્યા છે. રોહતક, દાદરી અને હાંસીની તરફથી આવનાર ખેડૂતો રામાયણ ટોલ પ્લાઝા પર એકત્રીત થઈ રહ્યા છે. રાકેશ ટિકૈત પણ રામાયણ ટોલ પ્લાઝા પર પહોંચી ચુક્યા છે. તે સમયે ટિકૈતે કહ્યું કે આવી ગયા છીએ તો કેસ પૂરો કરીને જ જઈશું. તોમનું દિમાગ સરખુ કરી દઈશું. સિરસા, ફતેહાબાદની તરફથી આવનાર ખેડૂતો લાંધડી પ્લાઝાથી એકત્ર થઈ ચુક્યા છે. લોહારૂ, બહલની તરફથી આવનાર ખેડૂતો ચૌધરીવાસ ટોલ પર એકત્ર થયા.
પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો
ત્યાં જ પ્રદર્શન જોતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ક્રાંતિમાન ચોકથી લઈને લધુ સચિવાલય સુધી ત્રણ ટોલ લગાવ્યા છે. લધુ સચિવાલયના બહાર થ્રી લેયર સિક્યોરિટી લગાવવામાં આવી છે. 12 વાગ્યા સુધી ખેડૂતોના ભેગા થવાની આશા છે.
પ્રશાસને 26 ડ્યૂટી મજીસ્ટ્રેટ લગાવી છે. 16 ડ્યૂટી મજીસ્ટ્રેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે. દરેકને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. રેપિડ એક્શન ફોર્સ, હરિયાણા આર્મ્ડ પોલીસ ઉપરાંત 7 જિલ્લાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેમાં લગભગ 4 હજારથી વધુ પોલીસ કર્મી છે.
જિલ્લા પ્રશાસને આંદોલન કરી રહેલા ખેડૂતોને વાતચીત કરવા માટે આપ્યુ આમંત્રણ
જિલ્લા પ્રશાસને આંદોલન કરી રહેલા ખેડૂતોને ફરી વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. જિલ્લા પ્રશાસનની તરફથી પ્રેસ જાહેર કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે 21 મેના રોજ થયેલી વાતમાં ખેડૂતોએ હિસાર મંડલાપુક્ત માટે પોતાની માંગ મુકી હતી. આ માંગનું સમાધાન કરવાની દિશા ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓને મંડલાયુક્તે વાતચીતનું આમંત્રણ આપ્યું છે. મહામારીના આ ખરાબ સમયમાં આ જરૂરી છે કે ખેડૂત આંદોલનનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે વાતચીતના માધ્યમથી કાઢવામાં આવે.
દરેક પરિસ્થિતિમાં કરશે પ્રદર્શન
ખેડૂતો દરેક પરિસ્થિતિઓમાં સોમવારે પ્રદર્શન કરશે. અમારી પાસે વાતચીતનું જે આમંત્રણ આવ્યું છે તે જિલ્લા અધિકારી અને ઈન્સ્પેક્ટર તરફથી આવી છે. જ્યારે તેમની પાસે આ મામલાના સમાધાનને લઈને કોઈ પાવર નથી. જ્યારે સરકાર પોતે વાત કરવા માટે ઈચ્છશે ત્યારે જ અમે વાત કરીશું.