કૃષિ કાયદા સામે હરિયાણા-પંજાબથી શરુ થયેલ ખેડૂત આંદોલને હવે દિલ્હી બોર્ડર પર પડાવ નાંખ્યો છે. ખેડૂત આંદોલનની આગે દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કૃષિ સુધાર કાયદાને લઇને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ અને NDAનો સાથ છોડનારા અકાલીદળ જો કે આ આંદોલનની નેતૃત્વ મામલે કોંગ્રેસથી પાછળ રહી ગયુ હોય તેવું દેખાઇ રહ્યું છે.
પંજાબ અને હરિયાણાના ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરી રહ્યાં છે અને MSPની ગેરેંટીની માગ ઉઠાવી રહ્યાં છે. આ ત્રણેય કૃષિ કાયદા દેશમાં લાગુ છે, પરંતુ સૌથી વધારે આંદોલનની હવા પંજાબ અને હરિયાણામાંથી પસાર થઇ રહી છે. આ આંદોલનને પંજાબની કોંગ્રેસ સરકાર અને હરિયાણાના કોંગ્રેસ નેતા ખુ્લ્લેઆમ સમર્થન કરી રહ્યાં છે. આંદોલનને લઇને પંજાબની કોંગ્રેસ સરકાર અને હરિયાણાની ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર આમને-સામને આવી ગઇ હતી.
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સોશિયલ મીડિયા દ્વારા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પર નિશાન તાક્યું હતું. જ્યારે હરિયાણાના કોંગ્રેસ નેતાઓએ પણ આ આંદોલને સમર્થન આપવામાં કોઇ કસર છોડી નહી. હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને લઇને કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ખુલ્લેઆમ ખેડૂત આંદોલનને સમર્થન કરતા નજર આવ્યાં અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને લઇને હરિયાણાની ખટ્ટર સરકાર પર આકરા પ્રહાર કર્યાં. ભાજપના નેતાઓએ પણ આરોપ લગાવ્યો કે ખેડૂતોને કોંગ્રેસ ખોટી રીતે સમર્થન કરી રહ્યાં છે.
કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કર્યું કહ્યું હતું કે પંજાબમાં બે મહિનાથી શાંતિપૂર્ણ રીતે ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું હતું. હરિયાણાની સરકાર પોલીસ બળનો ઉપયોગ કરીને આ ખેડૂતોને કેમ ભડકાવી રહી છે ? શું ખેડૂતોની પાસે એક પબ્લિક હાઇવેથી શાંતિપૂર્ણ રીતે કોઇ જગ્યાએ જવાનો અધિકાર પણ નથી? પંજાબ ખેૂડતો સાથે મુલાકાત માટે પાનીપત પહોંચ્યા વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુરજેવાલાએ કહ્યું હતું, 'આ રાજકીય લડાઇ નહી પરંતુ રોજી-રોટી અને ખેતી કરી છે. કોંગ્રેસ અને દરેક વિપક્ષી દળ ખેડૂતોની સાથે ઉભો છે. તેના માટે જે પણ કુરબાની આપવી પડશે તે અમે આપીશું'
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકાર સપ્ટેમ્બર 2020માં કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદા લઇને આવો તો અકાલીદળે વિરોધ કરતાં NDA સાથે છેડયો ફાડયો. અકાલી કોટોમાંથી મોદી કેબિનેટ એકમાત્ર મંત્રી રહેલા હરસિમરત કોર બાદલે પણ રાજીનામું આપ્યું હતુ. અકાલી દળે કેન્દ્રીય મંત્રી પર ત્યાગકરી અને એનડીએથી અલગ થઇ ને પંજાબના ખેડૂતો માટે મોટી લકીર ખેંચાવાનો પ્રયત્ન કર્યો. અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલે હરસિમરત કૌરના રાજીનામાને પાર્ટી દ્વારા ખેડૂતો માટે એક મોટું બલિદાન તરીકે રજી કર્યું હતું.
પંજાબ અને હરિયાણા ના ખેડૂતો રોડ પર
પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વ વાલી કોંગ્રેસ સરકાર કૃષિ સાથે જોડાયેલા અધ્યાદેશો સામે એક તરફ વિધાનસભા સાથે પ્રસ્તાવિત પારિત કરી પોતાને ખેડૂતોને હમદર્દ બતાવવાની કવાયત પહેલા જ કરી ચૂકી છે અને હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં જોડાયેલી છે.