કૃષિ કાયદાના વિરોધમાં પંજાબથી રેલી યોજી રહેલા ખેડૂતોને હવે દિલ્હીમાં પ્રવેશની મંજૂરી મળી છે. શુક્રવારે થયેલી બબાલ બાદ પોલીસે ખેડૂતોને દિલ્હીના બુરાડીમાં રહેલા નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન યોજવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, ખેડૂતો આ દરમિયાન તેઓ દિલ્હીના અને કોઇ વિસ્તારમાં જઇ શકશે નહીં. આ દરમિયાન પોલીસ પણ ખેડૂતોની સાથે રહેશે.
કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
પોલીસે બુરાડીમાં રહેલા નિરંકારી ગ્રાઉન્ડ વિરોધ કરવાની આપી મંજૂરી
ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે પોલીસ કરી રહી છે વાતચીત
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સિંધુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ મચી હતી. વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. ત્યારબાદ પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના ગોળાનો ઉપયોગ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
ખેડૂતોના પ્રતિનિધિ સાથે પોલીસ કરી રહી છે વાતચીત
અત્યારે પોલીસ દ્વારા ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને તમામને ગ્રાઉન્ડ સુધી લઇ જવા માટેની તૈયારીઓ કરાઇ રહી છે. પોલીસની એક ટીમે ખેડૂત નેતાની સાથે ગ્રાઉન્ડ સુધીનો રસ્તો કવર કર્યો હતો જેથી ખેડૂતો આ રૂટને ફોલો કરી શકે.
5 લાખથી વધુ ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં પ્રવેશવાની માગ સાથે ખેડૂતો સતત આવી રહ્યા છે અને જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં જવા માટેની અપીલ કરી રહ્યા છે. ખેડૂતોનનું કહેવું છે કે, તેમના ટોળામાં 5 લાખ લોકો છે. તો ખેડૂતોએ તમામ નિયમોના પાલનની તૈયારીઓ દર્શાવી હતી અને હવે તેઓ નિરંકારી ગ્રાઉન્ડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
હક માટે નું પ્રદર્શન અને અનેક અવરોધો
ઉલ્લેખનીય છે કે ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આ પ્રદર્શન કરીરહ્યા છે. તેમણે 26-27 નવેમ્બર દિલ્હી ચલો અભિયાન અંતર્ગત ટ્રેક્ટરમાં દિલ્હી તરફ કુચ કરી છે. જોકે તંત્ર કોરોનાના નામે તેમને પ્રદર્શન કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે બિહારની ચૂંટણી સમયે કોરોનાની ગાઈડલાઈન ક્યાં હતી. ખેડૂતોને રોકવા ટિયર ગેસના શેલ, પાણીનો મારો તેમજ બેરિકેટ લગાવવા જેવા ઉપરાંત ક્યાંક તો પ્રસાસને રોડ સુદ્ધા ખોદી નાંખ્યા છે. જો કે મક્કમ મનનો જગતનો તાત પોતાના હક માટે તમામ પડકારોની વચ્ચે આગળ વધી રહ્યો છે. ત્યારે આ ગોઝારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા.
શું છે ખેડૂતોની યોજના?
6 રાજ્યના ખેડૂતો (ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, કેરળ અને પંજાબ) આજથી બે મહિના પછી એટલે કે પ્રજાસત્તાક દિવસે સરકારે હાલમાં લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરવાની યોજના ધરાવે છે. ખેડૂતો આ આંદોલનમાં લાંબા સમય સુધી ચાલે તેટલા રેશન, શાકભાજી, લાકડા અને ધાબળાની વ્યવસ્થા કરી છે જેથી આંદોલન લાંબુ ચાલે તો પણ કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે.