એક અઠવાડિયા પહેલાં ખેડૂત આંદોલનના સમર્થનમાં પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહના નિવેદન પર હિંદુંઓને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે હું મારા પિતાના નિવેદનથી આઘાતમાં છું અને આજે હું મારો જન્મદિવસ નહીં મનાવું.
જન્મદિવસ નહીં મનાવું : યુવરાજ સિંહ
આંદોલનમાં પિતાએ આપેલા નિવેદનથી આઘાતમાં છું
હું મારા પિતાના વિચારોથી અલગ વિચારો ધરાવું છું
ટીમ ઈન્ડિયાએ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન બનનારા ક્રિકેટર યુવરાજ સિંહનો આજે જન્મદિવસ છે. લાગી રહ્યું છે કે આ વર્ષે ચેમ્પિયન ખેલાડી પોતાના જન્મદિવસે ખુશ નથી. એક નિવેદનમાં તે પોતાના પિતા યોગરાજ સિંહના નિવેદનથી દુઃખી છે. સાથે તેણે કહ્યું કે તેમના વિચારો પિતાથી અલગ છે. યુવરાજે જન્મદિવસના અવસરે આપત્તિ દેખાડી છે કે છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન ખતમ થાય અને સરકાર તેનું કોઈ સમાધાન કાઢે.
પિતાના નિવેદનથી દુઃખી છે
12 ડિસેમ્બર 1981માં જન્મેલા યુવરાજ સિંહ આજે 39 વર્ષના થયા છે. રાતના 12 વાગતાં યુવરાજે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે એક ભારતીય હોવાના કારણે પિતાના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી દુઃખી છું. હું અહીં સ્પષ્ટ કરું છું કે આ તેમનું પોતાનું નિવેદન છે મારી વિચારધારા તેમના જેવી નથી.
જાણો શું કહ્યું હતું યોગરાજ સિંહે
એક અઠવાડિયા પહેલાં ખેડૂત આંદોલનના સમર્થનમાં પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કથિત રીતે હિંદુઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પંજાબીમાં આપવામાં આવેલા આ ભાષણમાં તેઓએ હિંદુઓને માટે ગદ્દાર શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેઓએ કહ્યું કે આ હિંદુ ગદ્દાર છે, સૌ વર્ષ મુગલોની ગુલામી કરી. એટલું જ નહીં, તેઓએ મહિલાઓને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. યોગરાજ સિંહનું આ ભાષણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયું છે અને લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.
યુવરાજની માંગઃ ખેડૂત આંદોલન ખતમ થાય
યુવરાજ સિંહે પોતાના નિવેદનની શરૂઆત ખેડૂત આંદોલનને લઈને કરી છે.તેઓએ લખ્યું કે લોકો જન્મદિવસે પોતાની ઈચ્છા પૂરી કરે છે. પણ હું આ વર્ષે જન્મદિવસ મનાવવાને બદલે આશા રાખું છું કે સરકાર અને ખેડૂતોની વચ્ચે વાતચીત બાદ આ આંદોલન ખતમ થાય. ખેડૂત દેશનું જીવન ચલાવે છે. મને વિશ્વાસ છે કે એવી કોઈ સમસ્યા નથી જે શાંતિથી વાત કરતા ઉકેલી ન શકાય.