કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની સામે ખેડૂતોનું આંદોલન 23માં દિવસમાં પ્રવેશ કરી ગયું છે. ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો. આ આંદોલનની વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરશે.
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં એક દિવસની ભૂખ-હડતાળ પર દ્રમુક અને સહયોગી દળ
તામિલનાડુના દ્રમુક નીત વિપક્ષ દળ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપતા શુક્રવારના રોજ એક દિવસના ઉપવાસ પર બેઠા છે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાની સામે ખેડૂતો ત્રણ અઠવાડિયાથી વધારે સમયથી દિલ્હી સાથે જોડાયેલ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. દ્રમુકના પ્રમુખ તેમજ વિધાનસભા વિપક્ષના નેતા એમ. કે. સ્ટાલિન, પાર્ટીના સાંસદ કનિમોઇ અને વિપક્ષી સંગઠનના અન્ય સભ્ય નેતાઓ શુક્રવારના રોજ અહીં પ્રદર્શનમાં સામેલ થયા.
સુંદરલાલ બહુગુણાએ કર્યું આંદોલનકારી ખેડૂતોને સમર્થન
ચિપકો આંદોલન શુર કરી એક નવી ક્રાંતિ લાવનારા નેતા સુંદરલાલ બહુગુણા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યાં છે. સુંદરલાલ બહુગુણાએ કહ્યું છે કે તેઓ અન્નદાતાઓની માગનું સમર્થન કરે છે.
Chipko movement leader Sundarlal Bahuguna extends his support to farmers protesting against the three farm laws, says, "I support the demands of the 'annadatas' ". pic.twitter.com/ni9cMuwKFx
ખેડૂત મજદૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ શ્રવણ સિંહ પંઢેરે કહ્યું કે કમિટિ બનાવી સમસ્યાનો ઉકેલ નથી, પહેલા પણ ખેડૂતોએ નાની કમિટી બનવાનો ઇન્કારકરી દીધો હતો. તોમર જીએ જે કાલે પત્ર લખ્યો છે તે દેશને ભ્રમિત કરનારી છે, તેમાં કાંઇ નવું નથી. જો તેમાં કંઇ નવું સામે આવ્યું હોત તો તેના પર ટિપ્પણી કરવામાં આવી હોત.
સિંધુ બોર્ડર પર બનાવામાં આવી રહ્યાં તંબુ
સિંધુ બોર્ડર પર ખેડૂતોને ઠંડીથી બચાવા માટે વધારે તમ્બુની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક પ્રદર્શનકારીએ ખેડૂતે કહ્યું છે કે અમે પોતાની જાતને લાંબા સમય સુધી તૈયાર કરી રહ્યાં છે. કારણ કે કાળા કાયદા સામેની જંગ ચાલુ રહેશે. અહીં ઠંડી વધી રહી છે, એટલા માટે અમે વધારે ટેંટ લગાવી રહ્યાં છે.
Delhi: Protesting farmers at Singhu border say they're making more tent arrangements to face cold weather conditions.
"We're preparing ourselves for a longer stay as our fight against black laws will continue. It's getting colder, so we're putting more tents," says a protester. pic.twitter.com/7Jd1yBccFP
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની પ્રદર્શન સતત 23 દિવસથી ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના આઠ પાનાનો એક ખુલો પત્ર લખ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા દેશવાસીઓને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો ખૂડોતના નામ લખાયલો પત્ર વાંચવા અપીલ કરી છે.
PM મોદીએ કહ્યું દરેક ખેડૂતો પત્ર વાંચે
કૃષિ મંત્રી @nstomarજીએ ખેડૂત ભાઇ-બહેનોને પત્ર લખીને પોતાની ભાવના પ્રકટ કરી છે. એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા ખેડૂત (અન્નદાતાઓ)ને મારો આગ્રહ છે કે તેઓ જરુરથી વાંચે. દેશવાસીઓન પણ આગ્રહ છે કે તેઓ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે.
कृषि मंत्री @nstomar जी ने किसान भाई-बहनों को पत्र लिखकर अपनी भावनाएं प्रकट की हैं, एक विनम्र संवाद करने का प्रयास किया है। सभी अन्नदाताओं से मेरा आग्रह है कि वे इसे जरूर पढ़ें। देशवासियों से भी आग्रह है कि वे इसे ज्यादा से ज्यादा लोगों तक पहुंचाएं। https://t.co/9B4d5pyUF1
કૃષિ કાયદાને ઐતિહાસિક ગણાવતાં તોમરે કહ્યું કે તેમની અનેક રાજ્યોના ખેડૂતો સાથે વાત થી અને ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે. તેઓ ખુશ છે અને તેમને એક નવી આશાનો અહેસાસ થયો છે. દેશના અલગ અલગ ખેડૂતોના ઉદાહરણ પણ મળ્યા છે જેઓએ નવા કાયદાનો લાભ લેવાનું શરૂ કરી દીધુ છે. તોમરે કહ્યું કે કૃષિ મંત્રી હોવાના કારણે મારું કર્તવ્ય છે કે હું દરેક ખેડૂતનો ભ્રમ દૂર કરું. મારું દાયિત્વ છે કે સરકાર અને ખેડૂતની વચ્ચે દિલ્હી અને આસપાસની જૂઠાણાની દિવાલને હટાવી સચ્ચાઈ ખેડૂતો સુધી પહોંચાડું.
કૃષિ મંત્રી તોમરે આપ્યા 8 આશ્વાસન
- ખેડૂતોની જમીનને કોઈ ખતરો નહીં રહે, માલિકી હક તેમનો રહેશે.
- ખેડૂતોને નક્કી સમયે વળતર અપાશે.
- નક્કી સમયે વળતર નહીં મળતા દંડ કરાશે.
- ખુલ્લા બજારમાં સારા રૂપિયા પર પાક વેચવાનો વિકલ્પ પણ મળશે.
- MSP ચાલુ છે અને ચાલુ રહેશે.
- મંડિઓ ચાલુ છે અને ચાલુ રહેશે.
- સોદા પાક માટે થશે, જમીન માટે નહીં, ખેડૂતો ઈચ્છે ત્યારે તેને ખતમ કરી શકે છે.
- APMC મંડી કાયદાથી બહાર રહેશે.