ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતને લઇને ભાજપમાં રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે.
ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતને લઇને ભાજપમાં રાજકીય ઘમાસાણ મચી ગયું છે. પક્ષની અંદર લોની (Loni MLA)ના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરને બરતરફ કરવાની માંગ ઉઠવા લાગી છે.
રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના વિરોધમાં ગાજીપુરમાં સરહદ પર આંદોલન કરી રહ્યાં છે. જેને લઇને હાલમાં ભાજપમાં આંતરિક કલેશ જોવા મળી રહ્યો છે.
લોનીની ચેરમેન રંજીતા ધામાએ કહ્યું કે ભાજપનું છબી ખરાબ કરવા માટે ધારાસભ્યએ ખેડૂતોને ઉશ્કેર્યાં છે. પાર્ટીની છબી લોની ધારાસભ્યએ પહેલાથી જ ખરાબ કરી હતી.
લોની ધારાસભ્યએ વિપક્ષ નેતાઓની સાથે મળીને વિધાનસભાની બહાર ધરણા ધર્યા હતા. ગુરુવારના રોજ રાકેશ ટિકેતે ભાજપના બંને ધારાસભ્યો કિશોર ગુર્જર અને સુનીલ શર્મા પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો.
જેને લઇને રાકેશ ટિકેત બીજી વખત ધરણા પર બેસી ગયા હતા. જો કે લોની ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર આ વાતને લઇને ઇન્કાર કરી રહ્યાં છે કે ગાજીપુર સરહદ પર તેઓ ગયા પરંતુ તેમનો એક પત્ર વાયર છે જે 26 જાન્યુઆરી પછી રાકેશ ટિકૈત સહિત યોગેન્દ્ર યાદવને જેવા ખેડૂત નેતાઓને ફાંસી આપવાની માંગણી કરી હતી.
હવે ભાજપ લોની ચેરમેન રંજીતા ધામાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે કે રાકેશ ટિકેત પહેલા શાંતિપૂર્ણ રીતે ધરપકડ કરાવવા માટે તૈયાર હતા, પરંતુ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરનું આંદોલન સ્થળ પર પહોંચાડ્યા પછી ન તો તેમણે ધરપકડ કરાવી અને ન તો ધરણા પુરા કર્યાં.
તે સમયે ધરણાસ્થળ પર 500થી 700 માણસોનો સમૂહ હતો. ધારાસભ્ય નંદ કિશોરે જાણીજોઇને તેને હજારોની ભીડમાં ફેરવી નાંખી.લોની ચેરમેને પત્રમાં લખ્યું આવનારા વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા નંદ કિશોર ગુર્જર સમાજવાદી પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડવા ઇચ્છે છે. જેના માટે સરકારને અંદરથી ખોખલી કરવાનું ષડયંત્ર કરતા આવી રહ્યાં છે.