કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડુતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપ્યું છે. હાલમાં ખેડૂતોના આંદોલન હવે રાજકીય રંગ પકડી રહ્યું છે. ત્યારે આજના બંધના એલાનમાં ગુજરાતની ઘણી APMCએ આ આંદોલનને સમર્થન નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં અનેક APMC બંધના સમર્થનમાં નહીં
પેટ્રોલપંપ એસોસિએશનનો પણ બંધને ટેકો નહીં
ગુજરાતમાં પેટ્રોલપંપ ચાલુ રહેશે
ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ગુજરાતની અનેક APMCએ સમર્થન જાહેર કર્યું નથી. આ સાથે રાજ્યના પેટ્રોલપંપ એસોસિએશનનો પણ બંધને ટેકો જાહેર ન કરાતા રાજ્યમાં આજે બધા પેટ્રોલપંપ પણ ચાલુ રહેશે.
જાણો ભારત બંધને ગુજરાતની કઇ APMCનું સમર્થન નહીં
અમદાવાદ જિલ્લાની APMCનું ભારત બંધને સમર્થન નહીં
તાપી જિલ્લાની મુખ્યત્વે APMC બંધમાં નહીં જોડાય
વ્યારા, વાલોડ, સોનગઢ, નિઝર APMC બંધમાં નહીં જોડાય
સાબરકાંઠા જિલ્લાની APMC બંધમાં જોડાશે નહીં
પ્રાંતિજ, તલોદ, ઇડર, ખેડબ્રહ્મા APMC ચાલુ રહેશે
હિંમતનગર, વડાલી બંધના સમર્થનમાં નહીં જોડાય
સુરેન્દ્રનગર જિલ્લાની પણ તમામ APMC ચાલુ રહેશે
વડોદરા APMC પણ બંધમા નહીં જોડાય
બનાસકાંઠા જિલ્લાની APMC બંધમાં નહીં જોડાય
પાલનપુર, ભાભર APMC ભારત બંધમાં જોડાશે નહીં
પાંથાવાડા, થરાદ APMC ભારત બંધમાં નહીં જોડાય
દાહોદ જિલ્લાની APMC બંધમાં નહીં જોડાય
દાહોદ, દેવગઢ બારીયા, લીમખેડા બંધમાં જોડાશે નહીં
ફતેપુરા, ગરબાડા ભારતબંધમાં નહીં જોડાય
કચ્છના માર્કેટ યાર્ડો બંધમાં જોડાશે નહીં
ભુજ, અંજાર, નખત્રાણા, માંડવી APMC ચાલુ રહેશે
રાપર, મુન્દ્રા અને ભચાઉં APMC ચાલુ રહેશે
સુરત જિલ્લાની 6 APMC બંધમાં નહીં જોડાય
મહેસાણાની તમામ APMC બંધમાં જોડાશે નહીં
રાજ્યમાં તમામ પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે
પેટ્રોલ પમ્પ ઓનર્સ એસોસિએશનનું સમર્થન નહીં
ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું અને ગુજરાતમાં કોઈ બંધ નહીં રહે તેવી જાહેરાત કરી. તો કોંગ્રેસે કહ્યું અમે ખેડૂતોની સાથે છીએ.
ગુજરાતના 17 સંગઠનો બંધમાં જોડાશે
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓ ગઇકાલે થલતેજ ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના 17 જેટલા ખેડૂત સંગઠનો હાજર રહીને ખેડૂત સઘર્ષ સમિતિની રચના કરીને આજના ભારતના બધના એલાનને સમર્થન અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
કયા કયા સંગઠને આપ્યું છે આંદોલને સમર્થન
ભારતીય કિસાન સંઘ,ખેડૂત સંગઠન,કિસાન કાંતિ સંગઠન, ગુજરાત કિસાન કોગેસ,અન્નદાતા હિત રક્ષક સમિતિ,ઘરતીપુત્ર ટ્રસ્ટ અને ખેડૂત મદદરૂપ સંગઠન, કિસાન એકતા સમિતિ,લોકસાશન ખેડૂત સંગઠન,વડોદરા જિલ્લા ખેડૂત મજૂર સમાજ સહિતના કુલ 17 સંગઠનો આ વિરોધમાં જોડાશે અને વિવિધ જિલ્લામાં ખેડૂત અગ્રણીઓ બંધની સફળતા માટે પ્રયાસ કરશે.
અખિલ ભારતીય કોળી સમાજ કરશે સમર્થન: અખિલ ભારતીય કોળી સમાજ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં આવ્યું છે અને ખેડૂતોના ભારત બંધ ને સહયોગ આપવા વિનંતી કરી છે.સુરતના ચંદ્રવદન પીઠાવાલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણી યોગ્ય હોવાથી સમર્થન કરી રહ્યા છીએ.
ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશ- સુરત: ભારત બંધના એલાનને સુરતના ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશને સમર્થન આપ્યું છે તેથી આવતીકાલે એક દિવસ તમામ મજૂર ભાઈઓ બહેનો કામથી અળગા રહી બંધ પાળશે. નોંધનીય છે કે, ટેક્સટાઈલના લેબર અને ટેમ્પો સેવા બંધ થતાં ટેક્સટાઈલના કરોડોનો વેપાર પર માઠી અસર થશે.
સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ પાળશે
આજે ભારત બંધનું એલાન હોઈ ખેડૂતોના સમર્થનમાં સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ આજે બંધ રાખીને સહકાર આપશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને ગોંડલ સહિત જૂનાગઢ, જામનગર, મોરબી, અમરેલી, વાંકાનેર ,હળવદ, જેતપુર, ઉપલેટા, જસદણ, જામજોધપુર, ખંભાળિયા, કાલાવડ ધ્રોલ, વિસાવદર, મેંદરડા સહિત મોટા ભાગના યાર્ડ બંધ નો નિર્ણય આવી ગયેલ છે. આ અંગેની માહિતી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ આપી હતી.