ખેડૂતોના આંદોલનને આજે સાત મહિના પૂરા થતા તેઓ રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપવા છે. સાથેજ દરેક રાજ્યના રાજ્યપાલોને પણ મેમોરેન્ડમ આપવાના છે.
ખેડૂત આંદોલનને સાત મહિના પૂરા થયા
ખેડૂતો રાષ્ટ્રપતિને આપસે મેમોરેન્ડમ
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ખેડૂતોને કહ્યું કોંગ્રેસ તમારી સાથે
ખેડૂત આંદોલનને હવે સાત મહિના પૂરા થઈ ચુક્યા છે અને આ આંદોલન હજુ પણ યથાવત છે. હવે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા સમગ્ર દેશમાં રાજભવન માર્ચનું એલાન કરવામાં આવ્યું છે. જેમા તેઓ રાષ્ટ્રપતિને તેમજ બધા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને મેમોરેન્ડમ આપવાના છે. ખેડૂતોએ આ વિરોધ પ્રદર્શનનું નામ "ખેતી બચાવો લોકતંત્ર બચાઓ" રાખ્યું છે.
ઉપરાજ્યપાલના ઘરની બહાર ચાંપતો બંદોબસ્ત
આ વિરોધ પ્રદર્શન દેશમાં આપાતકાલ લાગૂ થયો તેના 46 વર્ષ બાદ તેજ દિવસે કરવામાં આવશે. ખેડૂતોના નેતા યુદ્ધવીર સિહ દિલ્હીમાં ઉપરાજ્યપાલના ઘરે 8 થી 10 લોકો સાથે પહોચ્યા હતા. પોલીસે તેમને રાજભવનમાં ન જવા દીધા અને તેમની સાથે લઈ ગયા. સાથેજ પોલીસે ઉપરાજ્યપાલના ઘરની બહાર પણ કિલ્લાબંઘી કરી દીધી હતી.
ટ્રેકટરો રોકવા ટ્રક અને ડમ્પરો મુકાયા
ઉપરાજ્યપાલના ઘરે જવા વાળા બધાજ રસ્તા પર ભારે સંખ્યામાં પોલીસે કાફલો ગોઠવી દીધો છે. જેમા તેમણે કાંટાળા તાર અને બેરિકેટીંગ પણ ગોઠવી દીધા છે. ટ્રેકટરોને રોકવા માટે રસ્તા પર ટ્રક અને ડમ્પરો મુકી દેવામાં આવ્યા છે. પરંતુ આ મામલે રાકેશ ટિકૈતે એવું કહ્યું છે કે તેઓ દિલ્હી એલજીના આવાસ સ્થાન પર ટ્રેકટર લઈને નથી જવાના. સાથેજ તેમણે કહ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ખેડૂત નેતાઓને મળવાનો સમય પણ આપ્યો છે.
પંચકુલામાં ખેડૂતોએ બેરિકેડ્સ ઉખાડ્યા
વિરોધ પ્રદર્શનમાં આ વખતે ફરી હિંસા જોવા મળી છે. હરિયાણાના પંચકૂલામાં પોલીસ અને કેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ છે. ખેડૂતો હરિયાણાના રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં પંચકૂલામાં પોલીસે તેમને રોક્યા. જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ ફેકીને આગળ વધ્યા હતા.
રાષ્ટ્રપતિને આપશે મેમોરેન્ડમ
ભારતીય વિકાસ યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે તેઓ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જેમા તેઓ જુદા જુદા રાજ્યના રાજ્યપાલોને મેમોરેન્ડમ આપીને કૃષિ કાયદો પરત લેવાની માગ કરશે. સાથેજ તેઓ ખેડૂત આંદોલનને સાત મહિના પૂરા થઈ રહ્યા છે. જેથી તેઓ રાષ્ટ્રપતિને પણ મેમોરેન્ડમ આપવાના છે.
સાત મહિનાથી ખેડૂતો ધરણા પર
રાકેશ ટિકૈતે ઉત્તરપ્રદેશ ગેટ પર જે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમને સંબોધીને કહ્યું ત્યા ખેડૂતો સાત મહિનાથી ધરણા પર બેઠા છે. તેમજ ગાજિયાબાદથી દિલ્લી જવા વાળા રાષ્ટ્રીય રાજમાર્ગના એક હિસ્સાને બંધ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હી મેટ્રોના ત્રણ રેલ્વે સ્ટેશન બંધ
દિલ્હી મેટ્રો દ્વારા આજે આંદોલનને ધ્યાનમાં રાખીને ત્રણ મુખ્ય સ્ટેશનોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંધૂ બોર્ડર સિવાય ટીકરી અને ગાજીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેથી પોલીસ દ્વારા દરેક જગ્યાએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી ખેડૂતો સાથે
સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કરીને એવું કહ્યું છે કે તેમની પાર્ટી ખેડૂતોની સાથે ઉભી છે. ઉલ્લેખનીય છે કે ગત 26 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદો પર બેઠા છે. તેમની માગ છે કે સરકાર દ્વારા જે પણ નવા કૃષિ કાયદા લાવવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે. પરંતુ સરકારે કૃષિ કાયદા રદ કરવા માટે ના પાડી છે. જેના કારણે આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે.