જૂનાગઢના વંથલીમાં રસ્તાને લઈને વિરોધ વધુને વધુ ગરમાયો છે. વંથલીમાં રસ્તા મુ્દે મંત્રી જવાહર ચાવડા સામે લોકોએ રોષ વ્યક્ત કરી છે. આ રાજમાર્ગમાં કાચુ કપાયું હોવાની શંકાને પગલે સ્થાનિકો મંત્રી સામે વિરોધે ચઢ્યા છે. 1 કરોડનો જે રોડ મંજૂર થયો હતો તેની સામે વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે.
વંથલીથી સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિરોધ
આ રસ્તા માટે 1 કરોડની ગ્રાન્ટ થઇ છે મંજૂર
ખેડૂત હિત રક્ષક સમિતિએ આપ્યું આવેદન
રોડ મામલે પક્ષપાત કરાયો હોવાનો સ્થાનિકોનો આરોપ
વંથલીથી સાંતલપુરને જોડતા રસ્તાને લઈને વિરોધ થઇ રહ્યો છે. રસ્તો જોડવાના બદલે ડાયવર્ટ થતાં લોકો આ પ્રક્રિયાથી નારાજ થયા છે. લોકોએ રસ્તાની પ્રક્રિયામાં પક્ષપાતની નિતી અપનાવી હોવાના આક્ષેપ કર્યાં છે. લોકોએ આ મુદ્દે સીધુ નિશાન સ્થાનિક મંત્રી જવાહર ચાવડા પર સાધ્યું છે.
શું કહેવું છે જવાહર ચાવડાનું?
જો કે જવાહર ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે. જે મુજબની સરકાર દ્રારા મંજૂરી મળી છે. તે જ પ્રમાણે રસ્તાનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે.
એક ગામથી બીજા ગામથી જતા રોડમાં એક જ રોડ પાસ થયો છે એટલે તો હાલ જે નક્કી છે તે જ રોડ બનશે.