ખેડૂત કૃષિ કાયદા સાથે જોડાયેલા વિવાદને ઉકેલવા બનાવવામાં આવેલી 3 સભ્યોની કમિટી આંદોલનકારી સંગઠનોના મંતવ્ય વગર સુપ્રીમ કોર્ટમાં પોતાની રિપોર્ટ રજુ કરશે.
કમિટી 11 બેઠકોના માધ્યમથી 500થી વધારે સંસ્થાઓ અને વિશેષજ્ઞોની સલાહ લઈ ચૂકી છે
આંદોલનકારી સંગઠનો તરફથી કોઈ જવાબ નથી આવ્યો
કમિટી આ સંગઠનોનો મત જાણવા છેલ્લો પ્રયાસ કરશે
કમિટી 11 બેઠકોના માધ્યમથી 500થી વધારે સંસ્થાઓ અને વિશેષજ્ઞોની સલાહ લઈ ચૂકી છે
હકિકતમાં આ કમિટીએ આંદોલનરત સંગઠનો સાથે અત્યાર સુધીમાં 4 વાર પોતાનો મત આપવાની અપીલ કરી છે. પરંતુ સંગઠનોએ કમિટિની અપીલ પર કોઈ જવાબ નથી આપ્યો. કમિટી અત્યાર સુધી 11 બેઠકોના માધ્યમથી કૃષિ ક્ષેત્રથી પરોક્ષ અને પ્રત્યક્ષ રુપથી જોડાયેલા 500થી વધારે સંસ્થાઓ અને વિશેષજ્ઞોની સલાહ લઈ ચૂકી છે.
આંદોલનકારી સંગઠનો તરફથી કોઈ જવાબ નથી આવ્યો.
કમિટીના એક સભ્યના જણાવ્યાનુસાર તેમના તરફથી આંદોલનકારી ખેડૂત સંગઠનોને જ પ્રાથમિકતા આપવા પર સહમતિ બની છે. એટલા માટે 21 જાન્યુઆરીએ પહેલી બેઠકમાં આ સંગઠનોના મત લેવા માટે પહેલી પ્રાયોરિટી આપવા પર સહમતિ બની. ત્યારથી અત્યાર સુધી કમિટીએ આ સંગઠનો પાસેથી ચાર વાર પોતાનો મત આપવા આગ્રહ કર્યો છે. કમિટીએ એમ પણ કહ્યું કે જો ખેડૂત સંગઠનો કમિટી પાસે આવવામાં કોઈ સમસ્યા છે તો તે કહેશે તે જગ્યાએ અમે પોતે જઈશું. તેમ છતાં આંદોલનકારી સંગઠનો તરફથી કોઈ જવાબ નથી આવ્યો.
કમિટી આ સંગઠનોનો મત જાણવા છેલ્લો પ્રયાસ કરશે
એક સભ્યના જણાવ્યાનુંસાર કમિટી આ સંગઠનોનો મત જાણવા છેલ્લો પ્રયાસ કરશે. જો કે આગલા મહિને કમિટીને પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો છે. એટલા માટે આની પહેલા એક વાર ફરી આંદોલનકારી સંગઠનો પાસે મતનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. પહેલાની જેમ કમિટી કોઈ પણ માધ્યમથી સંગઠનોને મત આપવા અપીલ કરશે. આ ઉપરાંત એક વાર ફરી તે સંગઠનો દ્વારા નક્કી જગ્યાએ જવાનો પ્રસ્તાવ મુકશે. જો તેને પણ સંગઠનો ફગાશે તો કમિટી પાસે તેમના મત વગર પોતાનો રિપોર્ટ સૌંપવા ઉપરાંત કોઈ વિકલ્પ નહીં બચે.
જારી રહેશે મત લેવાની પ્રક્રિયા
ગઠન બાદ કમિટીની અત્યાર સુધી 11મી બેઠક થઈ છે. આ બેઠકો દરમિયાન કૃષિ ક્ષેત્રથી પ્રત્યક્ષ અથવા સીધી રીતે જોડાયેલા વિશેષજ્ઞો સંગઠન સાથે વાતચીત કરવામાં આવી છે. મંગળવારે કમિટીએ ઓલ ઈન્ડિયા ખેડૂત કોર્ડિનેશન કમિટી(એઆઈકેસીસી)ની સાથે વાતચીત કરી. આ ઉપરાંત કમિટીના ફિક્કી, સીઆઈઆઈ સહિત અનેક આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ પાસેથી મત લીધા છે. ખાદ્ય પ્રસંસ્કરણ સાથે જોડાયેલા ઉદ્યોગોના પ્રતિનિધિઓનો મત લેવામાં આવ્યો છે. આ સિલસિસો આગળના 3 અઠવાડિયા સુધી ચાલૂ રહેશે. ભવિષ્યમાં કમિટીની યોજના કેટલાક રાજ્યો સરકારનો મત લેવાની છે. કમિટીની યોજના આવતા મહિને બીજા - ત્રીજા અઠવાડિયામાં પ્રાપ્ત સૂચનોના આધાર પર રિપોર્ટ તૈયાર કરવાની છે.