બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. કરા સાથે પડેલા વરસાદના કારણે હજારો હેક્ટરમાં તૈયાર થયેલો ટેટી અને તડબૂચનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે ખેડૂતોને અંદાજે 300થી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. કરા સાથે પડેલા વરસાદના કારણે હજારો હેક્ટરમાં તૈયાર થયેલો ટેટી અને તડબૂચનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે ખેડૂતોને અંદાજે 300થી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
બનાસકાંઠામાં સૌથી વધુ ટેટીનો પાક ડીસાના માલગઢના ખેડૂતોએ લીધો છે. ખેતરના લગભગ ત્રીસ ટકા ભાગમાં ખેડૂતોએ શક્કર ટેટીનું જ વાવેતર કર્યું છે..પાક તૈયાર હતો. માત્ર લણવાનો જ બાકી હતો.
પરંતું છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાથી નારાજ કુદરત ફરી એકવાર નારાજ થયો. વાતાવરણ પલટ્યું. કરા સાથે વરસાદ ખાબક્યો. જેના કારણે ખેતરમાં એક પણ ટેટી એવી ન બચી કે તેને વેચી શકાય. ત્યારે હવે ખેડૂતોને ફરીથી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે મદદથી ગુહાર લગાવી છે.
ઉલ્લેખની છે કે, ગઈ કાલે અચાનક મોસમે કરવટ લેતા વાતાવરણ વાદલછાયું થઈ ગયું હતું અને સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ જોત જોતામાં આકાશમાથી લગભગ ત્રણ ઇંચ વ્યાસના બરફના કરા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અચાનક આટલી મોટા આકારના બરફના કરા પડવાની શરૂઆત થતાં લોકો પણ અચંભિત થઈ ગયા હતા અને ડીસા શહેરના રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. બરફના કરા પડતાં સૂકા ભઠ્ઠ ડીસા શહેરમાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પણ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા.
આ ઉપરાંત બરફના કરાના આકાર એટલા મોટા હતા. કે તેનાથી ડીસામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા. અને વાહન ચાલકોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.. આ ઉપરાંત ડીસામાં થયેલી ભારે કરા વર્ષાને લઈ ખેતીની વાત કરવામાં આવે તો ખેતીમાં ટેટીના પાકને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં ઉગેલી ટેટી પર બરફ વર્ષાની માર જોવા મળી હતી.
બરફ વર્ષાને પગલે ખેતરમાં તૈયાર થયેલી ટેટીઑ પણ ફૂટી ગઈ છે. જેથી ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ડીસામાં અચાનક થયેલી આ બરફ વર્ષાને પગલે વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.
એક અંદાજ મુજબ ડીસા તાલુકામાં કરા વર્ષને પગલે ૩૦૦ કરોડનું નુકશાન એક માત્ર ટેટીના વાવેતરમાં થયું છે. ડીસા તાલુકાનાં માલગઢના ખેડૂતે તેના ખેતરના લગભગ ત્રીસ વીઘા જમીનમાં શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું અને આ વરસાદને પગલે ટેટીના તમામ છોડ નાશ પામ્યા છે. જેના લીધે માત્ર એક જ ખેડૂતને અંદાજિત ૩૦ લાખનું નુકસાન થયું છે.