પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ ફરી એક વાર ખેડૂત નેતાઓ કંઈક મોટુ કરવાનું વિચારી રહ્યા છે. જો કે, અગાઉ ખેડૂત સંગઠનોમાં મોટી તિરાડ પડી હોવાનું પણ સામે આવ્યું છેે.
દિલ્હીમાં આજે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક
ખેડૂત સંગઠનો હટવા લાગ્યા
મોર્ચામાં પડ્યું મોટું ભંગાણ
સંયુક્ત કિસાન મોર્ચામાં મોટું ભંગાણ પડ્યું છે. પંજાબ વિધાનસભા ચૂંટણી બાદ મુલ્લાંપુર દાખાના ગુરશરણ કલા ભવનમાં આયોજીત મોર્ચાની પ્રથમ બેઠકમાંથી 111 સંગઠનો સાઈડમાં થઈ ગયા છે. બેઠકમાં તમામ 32 સંગઠનોને પહોંચવા માટે મેસેજ આપવામાં આવ્યો હતો. તેમાંથી 18 સંગઠનોના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્રણ સંગઠનોએ ફોન પર પોતાની સહમતી આપી હતી.
ખેડૂત સંગઠનોમાં મોટી ફાડ પડી
ત્રણથી ચાર કલાક ચાલેલી આ બેઠકમાં જબરદસ્ત હોબાળો થયા હતો અને કેટલાય મુદ્દા પર ખેડૂત નેતાઓએ અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી કરી હતી. આ બેઠકમાં 14 માર્ચે દિલ્હીમાં મળનારી સંયુક્ત કિસાન મોર્ચાની રાષ્ટ્રીય સ્તરની બેઠકની તૈયારી, સમીક્ષા અને એજન્ડા પર વિચાર વિમર્શ કર્યો હતો. બીકેયૂ પંજાબના રૂલદૂ સિંહ માનસાએ કહ્યું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોને કારથી કચડી નાખવાના મામલામાં સરકાર સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.
સરકારી સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી
મુખ્ય આરોપી આશીષ મિશ્રાને જામીન મળ્યા બાદ પીડિત પરિવારો અને સાક્ષીને જાનથી મારી નાખવાનો ખતરો વધી ગયો છે. પણ સરકાર મૂંગી મૂંગી તમાશો જોઈ રહી છે અને લખીમપુર જેવી ઘટનાની રાહ જોઈ રહી છે. કેન્દ્ર સરકારે ચોક્કસપણે ત્રણેય કૃષિ કાયદા પાછા લીધા છે, પણ કરેલા બીજા અન્ય વચનોથી પાછીપાની કરી રહી છે.
સરકારે કરેલા વચનમાંથી ફગી ગઈ
મામલો ભલે એમએસપીનો હોય અથવા તો ખેડૂતોના દેવામાફીનો, સરકાર તમામ વાયદા પરથી દૂર હટી રહી છે. ખેડૂતો પર નોંધાયેલા દિલ્હી અને દિલ્હીની આસપાસના વિસ્તારના કેસો પરત લેવામાં આવતા નથી. ખરાબ હવામાનના કારણે નષ્ટ થયેલા પાકનું વળતર પણ સરકાર આપતી નથી. શેરડીના પાકમાં ક્વિંટલે 35 રૂપિયાનો જે વધારો કર્યો હતો, તે હજૂ પણ મળ્યો નથી. આ મામલામાં આ મુદ્દા ઉઠાવવામાં આવશે.