સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રકારના તમે ઘણા વીડિયો જોયા હશે. નિતનવા પ્રયોગ કરવામાં ભારતીયોને કોઈ પહોંચી વળે તેમ નથી. ભારતમાં એકથી વધીને એક અલગ-અલગ પ્રયોગ કરનારા લોકો રહે છે. જેને જોઇને મોટા-મોટા એન્જિનિયર પણ આશ્ચર્યમાં પડી જાય છે.
ખેડૂતે તેના ખેતરમાંથી પક્ષીઓને ભગાડવા અનોખો પ્રયોગ કર્યો
ખેડૂતે અનોખો પ્રયોગ અપનાવી એક યંત્ર બનાવ્યું
વાસણમાંથી આવતા અવાજને કારણે પક્ષીઓ રહેશે દૂર
ખેતરને બરબાદ થવાથી બચાવવાનો પ્રયોગ
ખેડૂતે કરેલા દેશી પ્રયોગે લોકોને વિચારમાં પાડી દીધા છે. ખેડૂતે તેના ખેતરમાંથી પક્ષીઓને ભગાડવા માટે અનોખો પ્રયોગ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો માટે પક્ષી એક મોટી સમસ્યા હોય છે. વાવણી કર્યા બાદ પાકના દાણાને ધીમે-ધીમે ચણી જાય છે. જેનાથી ખેડૂતનો પાક બરબાદ થઇ જાય છે. એવામાં ખેડૂતે અનોખો પ્રયોગ અપનાવી એક યંત્ર બનાવી દીધુ છે. ત્યારબાદ કદાચ જ કોઈ પક્ષી તેમના ખેતર તરફ આવે.
વીડિયોમાં જોઇ શકાય છે કે ખેડૂતના થાંભલામાં ટીનનો પંખો લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ખેડૂતે એક વાસણ લગાવ્યું છે. તમે જોશો તો ખ્યાલ આવશે કે જ્યારે પવન આવે છે તો નટ-બોલ્ટના આધારે લગાવવામાં આવેલો પંખો ફરવા લાગે છે. ત્યારબાદ બીજી તરફ લગાવેલા વાસણમાંથી ટન્નની અવાજ આવે છે. આ અનોખા પ્રયોગથી ખેડૂત તેના ખેતરમાંથી પક્ષીઓને દૂર રાખવામાં સફળ રહ્યો છે. આ એક અનોખો પ્રયોગ છે. અનોખા પ્રયોગવાળો આ વીડિયો techzexpress નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ ખેડૂતના ખૂબ વખાણ કરી રહ્યાં છે.