ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઈને કિસાન સંગઠન સતત બેકફુટ પર છે. ગુરુવારે ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે હિંસાને લઈને માંફી માંગી અને કહ્યું કે તે આના કારણે શરમમાં મુકાયા છે.
હિંસાના પ્રાયશ્ચિત માટે ખેડૂતો 30 જાન્યુઆરીએ એક દિવસનો ઉપવાસ કરશે
પહેલા પણ આ 2 સંગઠનો આંદોલનથી હટ્યા હતા
જે ઉપદ્રવીઓ તેમાં ઘૂસ્યા તેમાં અમારા લોકો નહોંતા
પહેલા પણ આ 2 સંગઠનો આંદોલનથી હટ્યા હતા
ગુરુવારે એક ન્યૂઝ ચેનલમાં ચર્ચા દરમિયાન યુદ્ધવીર સિંહે નિવેદન આપ્યું કે જે બે સંગઠનો આંદોલનથી અલગ થયા છે. તે પહેલા પણ સંયુક્ત કિસાન મોર્ચાનો ભાગ નહોંતા. પહેલા પણ આ 2 સંગઠનો આંદોલનથી હટ્યા હતા પરંતુ જ્યારે તેમના વિસ્તારમાંથી દબાણ આવ્યું તો જોડાયા હતા.
જે ઉપદ્રવીઓ તેમાં ઘૂસ્યા તેમાં અમારા લોકો નહોંતા
ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું ગણતંત્રના દિવસ દરમિયાન જે કંઈ પણ થયું તે શરમજનક હતુ અને અમે દુઃખી છીએ. કોઈ પણ આંદોલન ત્યારે સફળ થાય છે જ્યારે બન્ને તરફ સહયોગ હોય. યુદ્ધવીર સિંહે જણાવ્યું કે હું ગાજીપુર બોર્ડર પાસે હતો જે ઉપદ્રવીઓ તેમાં ઘૂસ્યા તેમાં અમારા લોકો નહોંતા.
હિંસાના પ્રાયશ્ચિત માટે ખેડૂતો 30 જાન્યુઆરીએ એક દિવસનો ઉપવાસ કરશે
ખેડૂત નેતાએ કહ્યું કે અમે હિંસાને લઈને નિંદા કરી રહ્યા છીએ અને તેના પ્રાયશ્ચિત માટે 30 જાન્યુઆરીએ એક દિવસનો ઉપવાસ પણ કરીશું. દિલ્હી પોલીસ પણ અમારા જ ભાઈઓ છે. તેવામાં તેમની સાથે જે પ્રકારનો વ્યવહાર થયો તેને લઈને અમે તેમની માફી માંગીએ છીએ.
ટ્રે્ક્ટર પરેડ દરમિયાન કેટલાક લોકો ઘૂસી આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સમાં લાલ કિલ્લાની હિંસાને લઈને શિવકુમાર કક્કા તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં ટ્રે્ક્ટર પરેડ દરમિયાન કેટલાક લોકો ઘૂસી આવ્યા હતા. જેના પર નજર રાખવી જોઈતી હતી. પરંતુ અમારી ભૂલ થઈ. સંયુક્ત કિસાન મોર્ચાએ ગત દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે તિરંગો બધાની શાન છે તેનું અપમાન કરનાર પર પગલા ભરાવવા જોઈએ.
ખેડૂતો હિંસાને લઈને ઉપવાસ પર તો પોલીસ તેમની સામે જ એક્શનના મોડમાં
ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો આ ઘટનાથી દૂઃખી થઈ 30 જાન્યુઆરીએ ઉપવાસ કરી રહ્યા છે તેમજ 1 ફેબ્રુઆરીએ થનારી સંસદ માર્ચને રદ્દ કરી દીધી છે ત્યારે બીજી તરફ દિલ્હી પોલીસ અત્યાર સુધીમાં 25 FIR દાખલ કરી ચૂકી છે. જેમાં 50 ખેડૂત નેતાઓની નામજોગ ફરિયાદ નોંધાયી છે. ત્યારે લગભગ 70 ઉપદ્રવીઓ પર તંગ કસાયો છે. જેમાં લગભગ 20ની ધરપકડ થઈ છે. જ્યારે લગભગ 50 ઉપદ્રવીઓને હજું કસ્ટડીમાં રાખ્યા છે. બુધવારની મીટિંગમાં દિલ્હી પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે ગૃહ મંત્રી શાહને આ તમામ બાબતોની વિસ્તૃત જાણકારી આપી છે