બલબીર એસ રાજેવાલે કહ્યું કે ખેડૂતોનો ટ્રેનને રોકવાનો કોઈ ઈરાદો નથી, તેઓએ કહ્યું કે કૃષિ કાયદા પરત નહીં લેવાતા અહીં આવેલા ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. આજે દિલ્હી - જયપુર અને આગ્રાના હાઈવે પર ચક્કાજામ કરાશે.
ખેડૂતોનું ટોલ પ્લાઝા ઘેરવાનું આહ્વાહન
ગુરગ્રામ દિલ્હી બોર્ડર પર 60 મેજિસ્ટ્રેટ તૈનાત
ફરીદાબાદમાં પણ ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તૈનાત
સુરક્ષાને લઈને કરાઈ છે ખાસ વ્યવસ્થા
ભારત ખેડૂત યુનિયનના અધ્યક્ષ બલબીર રાજેવાલે કહ્યું કે અમે આજે 12 ડિસેમ્બરે દિલ્હી- જયપુર રોજજ બ્લોક કરીશું. આ સિવાય ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ, ભાજપના નેતાઓના ઘરની સામે પણ પ્રદર્શન કરીશું. ગુરુગ્રામમાં ખેડૂતોની બોર્ડર સીલ કરવાની ચેતવણીને લઈને જિલ્લા પ્રશાસને 60 ડ્યુટી મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે. જિલ્લા ભરમાં અલગ અલગ ચૌકથી લઈને એનએચ 48 પર પોલિસ બળની સાથે મેજિસ્ટ્રેટની તૈનાતી રહેશે. લગભગ 2થી અઢી હજાર પોલીસ કર્મીઓના હાથે શહેરની સુરક્ષા વ્યવસ્થા સંભાળાશે. ખેડૂતના ટોલ પ્લાઝાને ઘેરવાની જાહેરાતને લઈને ફરીદાબાદ પોલીસ એલર્ટ છે. આંદોલનની આડમાં કાયદા અને વ્યવસ્થા બગાડનારા પર પોલીસની નજર છે અને ડ્રોનથી નજર રખાશે. પ્રદર્શન સમયે લગભગ 3500 પોલીસકર્મી પણ તૈનાત રહેશે.
रेल रोकने का हमारा कोई प्रोग्राम नहीं है। लगातार किसानों की संख्या बढ़ रही है, अब ये सिर्फ किसान आंदोलन नहीं रहा जन आंदोलन बन गया है: सिंघु बॉर्डर से किसान नेता #FarmersProtest#FarmLawspic.twitter.com/s9MaOOIGCP
રાજેવાલે સ્પષ્ટ રીતે કહ્યું કે ખેડૂતોનો ટ્રેન રોકવાનો કોઈ ઈરાદો નથી. અહીં આવી રહેલા ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. પહેલા દિવસથી 3 કાયદાને રદ્દ કરવાની માંગ પર ખેજૂતો અડી રહ્યા છે. આજે હવે દેશના ટોલ નાકાઓને ફ્રી કરવાની તૈયારીમાં છે. 14 ડિસેમ્બરે દેશમાં ભાજપના નેતાઓના ઘેરાવથી લઈને મુખ્યાલયો પર પ્રદર્શન કરવાની યોદના છે. આવતીકાલે પણ ખેડૂતો આગ્રા હાઈવે જામ કરશે.
આ પહેલાં પણ માહિતી મળી હતી કે અલ્ટ્રા લેફ્ટ નેતાઓ અને સમર્થક વામપંથી ચમરપંથી તત્વોએ ખેડૂતોએ આંદોલનને હાઈજેક કરી છે. ખાનગી સૂત્રોનું કહેવું છે કે અતિવાદી સંગઠન આવનારા દિવસોમાં ખેડૂતોને હિંસા, આગ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવા માટે ઉકસાવી રહ્યા છે.
On 12th Dec, we'll block Delhi-Jaipur road. On 14th, we'll stage sit-in protest in front of DC offices, houses of BJP leaders & block Reliance/Adani toll plazas. No program to stop trains. Number of farmers coming here is increasing: Balbir S Rajewal, Bharatiya Kisan Union chief pic.twitter.com/GaqkIZ8OnO
ખાનગી રિપોર્ટ અનુસાર ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓે કહ્યું કે અમને તો અહીં એવા લોકો દેખાઈ રહ્યા નથી પણ છતાં જો આવું થાય તો તેમને પકડી લેવા જોઈએ. ટિકૈતે કહ્યું કે અમારી સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એટલી નબળી નથી કે તેને પકડી ન શકે. જે લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે તેમની પર એજન્સી નજર રાખે.