ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયા છે. ત્યારે તેમણે વડોદરામાં નિવેદન આપ્યું હતું.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના પ્રવાસે
ગાંધી આશ્રમ બાદ કરમસદમાં સરદાર સ્મારકને કર્યા ફૂલહાર
ગાંધીની જમીન છે, આંદોલનની જમીન છેઃ રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ટિકૈત આજે ગાંધી આશ્રમથી પ્રવાસની શરૂઆત કરી હતી. ગાંધી આશ્રમ બાદ તેઓ કરમસદમાં સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડોદરામાં છાણી ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. વડોદરાથી તેમનો ભરૂચના જંબુસરમાં ખેડૂત સભાને સંબોધિત કરશે. સાંજે બારડોલીમાં ટિકૈત ખેડૂત સભાને સંબોધિત કરશે.
કેન્દ્રના નવા કરારથી અમૂલ ડેરી પણ બરબાદ થઇ જશેઃ રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વડોદરામાં નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, દેશની મુખ્યાધારામાં ગુજરાત સામેલ થશે. દેશમાં કંપનીઓ સરકાર ચલાવે છે. આ ગાંધીની જમીન છે, આંદોલનની જમીન છે. સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જ પડશે. રાકેશ ટિકૈતે કહ્યું કે યુવાઓ-ખેડૂતો પોતાના હક માટે આગળ આવે. કેન્દ્રના નવા કરારથી અમૂલ ડેરી પણ બરબાદ થઇ જશે.
રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાતનો ખેડૂત સમાજ ફરીથી ઉભો થશે. આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવશું. અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલશે. ખેડૂત ફાયદામાં છે તેવું બોલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના ખેડૂત દહેશતમાં છે. ગાંધીનગરને ઘેરી ટ્રેક્ટરથી આંદોલન કરવું પડશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ કરમસદ પહોંચ્યા હતા.
આજે રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલા કરમસદ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમને બસસ્ટેન્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આટી પહેરાવી હતી. બાદમાં લોકો સાથે ટેક્ટર રેલી યોજી સરદાર પટેલના ઘરે પહોંચ્યા હતા. જેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. બાદમાં ઘરમાં મુકેલી સરદારની અખંડ જ્યોતના દર્શન કરી વિઝિટર બુકમાં નોંધ કરી હતી.