ગણતંત્ર દિવસ બાદ ખેડૂત આંદોલનના રાકેશ ટિકૈતના નેતૃત્વમાં જે ટર્ન આવ્યો છે તેના પરિણામોને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે. જાણકારોનું કહેવું છે કે ટિકૈતે જે રીતે પોતાને ગાજીપુર બોર્ડર પરથી બહાર કાઢી હરિયાણામાં તાબડતોડ ખેડૂત મહાપંચાયત કરવાની શરુ કરી છે. તેનાથી સીએમ મનોહરલાલ ખટ્ટર સરકારની મુશ્કેલી વધી શકે છે.
મંત્રીઓને સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેવા પોલીસ સુરક્ષા લેવી પડી રહી છે
ટિકૈત હરિયાણાની ભાજપ- જજપા સરકારને નુકસાન પહોંચાડી શકે
ટિકૈત જે મહાપંચાયતોમાં સામેલ થયા છે તે બધી જાટ વિસ્તારની
ટિકૈત હરિયાણાની ભાજપ- જજપા સરકારને નુકસાન પહોંચાડી શકે
રાજ્યમાં જે રીતે તેમની મહાપંચાયતોમાં ગામોમાંથી લોકોની ભારે ભીડ ભેગી થઈ રહી છે. તેને જોતા કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ખટ્ટરને ટિકૈતની નજર લાગી શકે છે. ખેડૂત આંદોલનના ચક્કરમાં ભાજપ સંકટમાં ખેડૂતોની વચ્ચે એવા સૂત્રો સંભળાઈ રહ્યા છે. અખિલ ભારતીય આદર્શ જાટ મહાસભાના અધ્યક્ષ દીપક રાઠી કહે છે કે ટિકૈતના પગલા પર તમામની નજર છે. તેમણે અત્યાર સુધી જે મહાપંચાયતો કરી છે તે તમામ જાટ બાહુલ્ય વિસ્તારોમાં કરી છે. જો કે હજું ચૂંટણી દુર છે. પરંતુ હાજર સ્થિતિઓમાં ટિકૈત હરિયાણાની ભાજપ- જજપા સરકારને નુકસાન પહોંચાડી શકે છે.
ટિકૈત જે મહાપંચાયતોમાં સામેલ થયા છે તે બધી જાટ વિસ્તારની
ખેડૂત આંદોલનમાં સામેલ રહેલા એક મોટા નેતા જેમણે આ આંદોલનથી કિનારા કરી લીધા છે તેમણે કહ્યું કે ટિકેતની ચાલ જોવા જેવી છે. તેઓ જે રીતે પોતાને જાટ નેતાઓ તરીકે સાબિત કરવાની ભૂલ કરી રહ્યા છે તે તેમણે જલ્દી ખેડૂત આંદોલનથી દુર કરી દેશે. કેન્દ્ર સરકાર આ આંદોલન શરુ થવાથી લઈને ટિકૈત મોર્ડલમં સમાહિત થવા સુધીનું એક જ રટણ કરી રહી છે. આ આંદોલન અઢી રાજ્યોનું છે. અમારે તો દેશના બાકી ખેડૂતોનું સાંભળવું પડે. હેરાન કરવા વાળી વાત એ છે કે પહેલા પણ ખેડૂત નેતાઓએ સરકારનો આ ભ્રમ તોડવાનો પ્રયાસ નથી કર્યો અને હવે ટિકૈતે સરકારની આ વાત પર મોહર પણ લગાવી દીધી છે. ટિકૈત જે મહાપંચાયતોમાં સામેલ થયા છે તે બધી જાટ વિસ્તારની છે.
મંત્રીઓને સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેવા પોલીસ સુરક્ષા લેવી પડી રહી છે
ટિકૈતે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના જાટ સમૂદાયને એક મંચ પર લાવવાની કવાયદ શરુ કરી છે. હરિયાણામાં જે ઝડપથી ટિકૈતે જાટ સમુદાયની વચ્ચે પોતાની પકડ મજબૂત કરી છે. તેનાથી ભાજપ- જજપા સરકારને સમસ્યા ઉભી થઈ શકે છે. જો જાટ સમુદાય ભાજપથી નારાજ છે. ગત વર્ષની વિધાનસભા ઉપચૂંટણી હોય કે સ્થાનીક પંચાયતની જેમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂત આંદોલન બાદ હાલત એ થઈ ગઈ કે ભાજપ સરકારના મંત્રીઓ તથા બીજા પદાધિકારીને સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેવા પોલીસ સુરક્ષા લેવી પડી રહી છે.