ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતા પહોંચીને મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી તથા ખેડૂત આંદોલનમાં સમર્થનમાં તેમનો સાથ માંગ્યો.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતા પહોંચ્યાં
સીએમ મમતા બેનરજી સાથે કરી મુલાકાત
ખેડૂત આંદોલનમાં સમર્થનમાં મમતાનો સાથ માંગ્યો
મુલાકાતમાં ટિકૈતે મમતા બેનરજી પાસેથી પાકના ટેકાના ભાવ તથા નવા કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દે સમર્થન માંગ્યું. તેમણે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અંગે પણ તેમને વાકેફ કરાવ્યો.
યુપી ચૂંટણીમાં પણ અમે ભૂમિકા નિભાવીશું
રાકેશ ટિકૈતે કહ્યું કે જો કેન્દ્ર સરકારે અમારી સાથે વાતચીત કરવા માંગતી હોય તો અમે તૈયાર છીએ. અમે યુપીની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા નિભાવીશું કારણ કે ખેડૂતો માટે નવા કૃષિ કાયદા કાળા કાયદા છે. તેને ખતમ કરવા માટે અમે કેન્દ્ર સરકાર પર દબાણ કરીશું.
અમે રાજનીતિમાં નથી પરંતુ ફક્ત ખેડૂતોની વાત કરો
મમતા બેનરજીની રાષ્ટ્રીય રાજનીતિ અંગેના એક સવાલનો જવાબ આપતા ટિકૈતે કહ્યું કે અમે ફક્ત ખેડૂત સમસ્યા સંબંધિત સમર્થન આપી શકીએ. અમે રાજનીતિમાં નથી. ટિકેતે જણાવ્યું કે નવા કૃષિ કાયદાથી કૃષિનું બજારીકરણ થઈ જશે અને રિટેલ કંપનીઓ નાના ખેડૂતોનું શોષણ કરશે.
બંગાળ સરકાર ફળો, શાકભાજી તથા દુધ ઉત્પાદનો માટે ટેકાના ભાવ નક્કી કરે
બીકેયુ મહાસચિવ યુદ્ધવીર સિંહે જણાવ્યું કે અમે ચૂંટણી જીત માટે મમતા બેનરજીને અભિનંદન આપવાની સાથે ખેડૂતોના સમર્થનમાં તેમનો ટેકો માંગીએ છીએ. અમે બંગાળમાં ફળો, શાકભાજી તથા દુધ ઉત્પાદનો માટે ટેકાના ભાવ નક્કી કરવાની પણ માંગ કરીએ છીએ કારણે આ બીજી જગ્યાએ એક મોડલની જેમ કામ કરશે.