ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 29 નવેમ્બરે 1000 ટ્રેકટરો સાથે સંસદ ભવન જવાના છે. જેને લઈને તેમણે એવું નિવેદન આપ્યું છે કે મંગી બહેરી સરકારને જગાડવા માટે આ કામ કરવુંજ પડશે
ખેડૂત નેતા રાકૈશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન
29 નવેમ્બરે ખેડૂતો ટ્રેકટર સાથે જશે સંસદ ભવન
સંસદ ભવન 1000 ખેડૂતો ટ્રેકટર સાથે પહોચશે
ट्रैक्टर भी वही हैं और किसान भी वही। इस बार गूंगी-बहरी सरकार को जगाने और अपनी बात मनवाने के लिए किसान 29 नवंबर की ट्रैक्टरों से संसद भवन जाएंगे।#FarmersProtest
કૃષિ કાયદાને લઈને ખેડૂતો છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન હવે વધારે મજબૂત થઈ સરહ્યું છે. હવે ખેડૂતો સંસદ ભવનમાં ટ્રેકટરો લઈને જવાના છે. જે મામલે ખેડૂત નેતા રાકેશ ટીકૈત દ્વારા માહિતી આપાવમાં આવી છે કે પોતાની વાત મનાવા ખેડૂતો 29 નવેમ્બરે ટ્રેકટરો સાથે સંસદ ભવન જવાના છે.
ગાઝીપુર અને ટીકરી બોર્ડરથી ટ્રેકટરો ઉપાડશે
સમગ્ર મામલે રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને એવું કહ્યું છે કે ટ્રેકટર પણ એજ છે અને ખેડૂતો પણ એજ છે. આ વખતે મૂંગી બહેરી સરકારને જગાડવા માટે તેમજ પોતાની વાત મનાવા માટે તેઓ ખેડૂતો સાથે 29 નવેમ્બરે સંસદ ભવન જવાના છે. જેમા તેઓ 500 ટ્રેકટરો ગાઝીપુર બોર્ડરથી ઉપાડશે અને 500 ટ્રેકટર તેઓ ટિકરી બોર્ડરથી ઉપાડીને સંસદ ભવન માટે રવાના થવાના છે.
ખેડૂતો કેટલાય સમયથી દિલ્હીની સરહદો પર
આગામી 26 નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પુરુ થશે. છેલ્લા એક વર્ષથી કિસાન મોર્ચા દ્વારા કૃષિ કાયદાઓને રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. જેથી એક વર્ષ પુરુ થતા ખેડૂત નેતા સંસદ ભવન ટ્રેકટરો સાથે જવાના છે. જ્યા તેઓ શાંતિપૂર્ણ ટ્રેકટર માર્ચમાં ભાગ લેવાના છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમા તેઓ દિલ્હીની સરહદો પર બેઠા છે.
ખેડૂતોને જ્યા રોકવામાં આવશે ત્યાજ બેસી જશે
ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રેકટર માર્ચને લઈને રાકેશ ટિકૈતે કહ્યું હતું કે 26 તારીખે રાજધાનીમાં બેસેલા ખેડૂતો કાર્યક્રમ કરશે. તે દિવસ સંવિધાન દિવસ પણ છે. જેથી તેને બચાવાનો પ્રયાસ કરવામાં આવશે. 29 તારીખે પાર્લામેન્ટ સેશન શરૂ થશે તો પોલીસે જ્યા જ્યા રસ્તા ખુલ્લા હોવાની એફિટેબીટ આપી છે. ત્યાથી 500 ટ્રેકટરો નીકળશે. જોકે જો રસ્તામાં ખેડૂતોને રોકવામાં આવ્યા તો તેઓ ત્યાજ બેસી જશે. તેવું પણ તેમણે કહ્યું છે.