આ વખતે દિલ્હીના બોટ ક્લબ પર ખેતી કરવામાં આવશે, અને આખા ભારતમાંથી લગભગ ૪૦ લાખ ટ્રેક્ટરો ત્યાં જશે રાકેશ ટિકૈતે તેના નિવેદનમાં આ વાત કહી હતી.
રાકેશ ટિકૈતનું મહત્વનું એલાન
ખેડૂત મહાપંચાયતમાં કર્યું મોટું એલાન
દિલ્હીને ૪૦ લાખ ટ્રેક્ટરોથી ઘેરો ઘાલવાની કરી વાત
આ વખતે દિલ્હીના બોટ ક્લબ પર ખેતી કરવામાં આવશે, અને આખા ભારતમાંથી લગભગ ૪૦ લાખ ટ્રેક્ટરો ત્યાં જશે. હોળી પર્વની સિઝન આવવાની છે માટે બધા તૈયાર રહે, અને પાકની કાપણી કરી નાખે. સંયુક્ત કિસાન મોરચાના એક ફોનકોલ પર દિલ્હી પહોંચી જાય. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના મીની જાટલેન્ડ તરીકે ઓળખાતા કિરાવલીમાં કઇંક આવા તેવર જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આ ટિકૈતની પહેલી મહાપંચાયત હતી.
મોદી સરકાર પર અપનાવ્યું આક્રમક વલણ
આ સમયે પણ રાકેશ ટિકૈત મોદી સરકાર પર આક્રમક દેખાયા હતા, તેઓ કહી રહ્યા હતા કે આ આંદોલન ખેડૂતોની જમીન બચાવવાનું છે, અને ખેતીને બચાવવાનું છે, આ મોટી કંપનીઓ છે કે જેને ખેતર અથવા ખેતી સાથે પ્રેમ નથી હોતો, ખેડૂતોની પાઘડી પર હાથ નાખવ વાળી સરકારને ભિગવવું જ પડશે, હવે કોઈ જાતિ-ધર્મ નહીં ચાલે, ખેડૂતો જ આપણી બિરાદરી છે અને ખેડૂત ધર્મ -૨૦૨૧ જ આપણી પહેચાન બનશે.
પોલીસ વાળાને પણ આંદોલનથી જોડ્યા
રાકેશ ટિકૈતે ખૂબ જ સારી રીતે ભીડની પાછળ ઉભેલા પોલીસ જવાનોને પણ આંદોલનની સાથે જોડી દીધા હતા, તેણે કહ્યું હતું કે આ લોકો પણ ખેડૂતોના જ દીકરાઓ છે અને આ પોલીસવાળાઓ એ જ એક દાયકા પહેલા આંદોલન કર્યું હતું, તેમના મકાનો એટલા નાના હોય છે કે પોતાના સગાવ્હાલાઓને પણ બોલાવી શકતા નથી, આ લોકોના મકાનોનો વ્યાપ વધારવા માટે પણ સરકારે કશું જ કર્યું નથી, હવે ફરીથી તેમના માટે આંદોલન કરવામાં આવશે.
ખાનગીકરણ અને મોંઘવારીને લઈને સાધ્યું નિશાન
ટિકૈતે કહ્યું હતું કે બીએસએનએલ ખતમ થવાની અણીએ છે, આ જે રેલ કર્મચારીઓના દમ પર અત્યારે રેલવે ચલાવાઈ રહી છે, આગલા વર્ષ સુધીમાં તેમનામાંથી ૪.૫ લાખ કર્મચારીઓને કાઢવાની યોજના છે. પેટ્રોલ-ડીઝલના ભાવ તો જુઓ ક્યાં સુધી પહોંચ્યા છે, આ વસ્તુના ભાવ વધશે, તો ગામડાના માણસનું ભાડું વધશે અને માલભાડું પણ વધશે, ગામડાનો માણસ ક્યાં જશે.
જાટ રાજાઓ અને બટેટા બેલ્ટ સાથે જોડી પોતાની વાત
આજની મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે વારંવાર આ ક્ષેત્રને તેના જૂના જાટ રાજાઓ અને વીર યોદ્ધાઓના પરાક્રમ અને શાન સાથે જોડવાની કોશિશ કરી હતી, તેમણે કહ્યું હતું કે આ જ બટાકા જો કોઈ વેપારી વેચે તો ૪૦ રૂપિયા પ્રતિ કિલો પડે, અને જો કોઈ ખેડૂત વેચશે તો ૮ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળશે. એટલે જ અમે એમએસપીણી ગરેન્ટી માંગી રહ્યા છીએ, સાપ્તાહિક બજાર બંધ થઈ જવાની શક્યતાઓ છે.