ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે દાવો કર્યો છે કે મીટિંગમાં સરકારે કહ્યું હતુ કે કંઈક એવું કરો કે બન્નેની ઈચ્છત બચી જાય.
સરકારે કહ્યું હતુ કે કંઈક એવું કરો કે બન્નેની ઈચ્છત બચી જાય
સંશોધન પર તૈયાર છો તો પછી આને રદ્દ કેમ નથી કરી નાંખતા
અમિત શાહે મીટિંગમાં કહ્યું કે કાયદામાં એટલા સંશોધન કરાવી લો કે કંઈ બચે જ નહીં નિષ્ક્રિય થઈ જાય
સરકારે કહ્યું હતુ કે કંઈક એવું કરો કે બન્નેની ઈચ્છત બચી જાય
ગત 3 મહિનાથી પણ વધારે સમયથી દેશભરમાં ખેડૂતો દિલ્હી સાથે જોડાયેલી તમામ સીમા પર ધરણા કરી રહ્યા છે. આંદોલનની વચ્ચે ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે દાવો કર્યો છે કે મીટિંગમાં સરકારે કહ્યું હતુ કે કંઈક એવું કરો કે બન્નેની ઈચ્છત બચી જાય.
સંશોધન પર તૈયાર છો તો પછી આને રદ્દ કેમ નથી કરી નાંખતા
પંજાબી ન્યૂઝ ચેનલને એક કાર્યક્રમમાં કહ્યું કે અમે હંમેશા સરકાર સાથે વાત કરવા તૈયાર છીએઅને પહેલા પણ તૈયાર હતા. સરકાર સાથે અમે 3 વાર કૃષિ કાયદાના દરેક પાસાઓ પર વાત કરી ચૂક્યા છીએ. સરકારના પ્રતિનિધિઓ દરેક મીટિંગમાં આ કાયદાના સંશોધન માટે રાજી થતા હતા. એટલે મે સરકારને કહ્યું કે તમે આના સંશોધન પર તૈયાર છો તો પછી આને રદ્દ કેમ નથી કરી નાંખતા. તેના પર સરકારે કહ્યું કે કોઈ એવો રસ્તો કાઢો કે જેનાથી બન્નેની ઈજ્જત રહી જાય.
અમિત શાહે મીટિંગમાં કહ્યું કે કાયદામાં એટલા સંશોધન કરાવી લો કે કંઈ બચે જ નહીં નિષ્ક્રિય થઈ જાય
આગળ બલવીર સિંહ રાજેવાલે દાવો કર્યો કે એક વાર તો દેશના ગૃહમંત્રી અમિત શાહે મને મીટિંગમાં કહ્યું કે તમે આ કાયદામાં એટલા સંશોધન કરાવી લો કે કાયદામાં કંઈ બચે જ નહીં અને તે એક તરફ સાઈડમાં પડ્યો રહેશે. આ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ આને પાછો લેવાનું ન કહેશો. સાથે રાજેવાલે કહ્યું કે અમિત શાહે આગળ કહ્યં કે અમે લેબર લો સહિત અનેક કાયદામાં સુધારા કર્યા છે. જો અમે કૃષિ કાયદાને પાછો લીધો તો પછી લેબર સહિત અનેક સંગઠનોના લોકો કાયદાને પાછા લેવાની માંગ કરશે. આના પર મે તેમને જવાબ આપ્યો કે જો તમે આટલા પાપ કર્યા છે તો તમે ગંગામાં સ્નાન કરી લો.
આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સરકાર આને પાછા નથી લેતી
કાર્યક્રમમાં બલવીર સિંહ રાજેવાલે કૃષિ કાયદો પાછો લેવાના સવાલના જવાબ પર કહ્યું કે હું દિલ પર હાથ રાખીને કહું છુ કે સરકારે આ કાયદો પાછો લેવો જ પડશે કેમ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. વધુમાં કહ્યું દેશની બદકિસ્મતી છે કે દેશના પીએમ હંમેશા ખોટું બોલે છે અને આ જૂઠી સરકાર છે. પીએમ ક્યારેય પ્રેસના સવાલોનો સામનો નથી કરી શકતા. સાથે તેમણે કહ્યું કે આ આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સરકાર આને પાછા નથી લેતી. ભલે પછી 2024 સુધી કેમ ન ચાલે.
ખેડૂત ખેતીનું પણ ધ્યાન રાખશે અને આંદોલન પણ ચાલુ રાખશે
ઉલ્લેખનીય છે કે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો સાથે ફરી વાતચીત કરવા માટે સરકારે જ પહેલ કરવી પડશે. તેમણે કહ્યું કે 15-20 દિવસથી કેન્દ્ર સરકારથી ખામોશી સૂચવી રહી છે કે કંઈક મોટું થવાનું છે. સરકાર આંદોલનની સામે કંઈક રુપરેખા બનાવી રહી છે. ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાછા જવાના નથી. ખેડૂતો તૈયાર છે તેઓ ખેતીનું પણ ધ્યાન રાખશે અને આંદોલન પણ ચાલુ રાખશે.
ટિકૈતે કહ્યું કે 24 માર્ચ સુધી દેશમાં ઘણી જગ્યાએ મહાપંચાયત કરવામાં આવશે
ત્રણ કૃષિ કાયદા અંગે ખેડૂતો દ્વારા ઠેકઠેકાણે ઊભા પાકને નાશ કરવાના સંબંધી સવાલ પર ટિકૈતે કહ્યું કે આવું પગલું ભરતું અટકાવવા માટે કોઈ અપીલ કેમ કરી રહ્યું નથી. હવે ઘંઉની સિઝન આવી રહી છે. જો ખેડૂતના ઘઉં એમએસપી પર ખરીદવામાં ન આવે તો તેને માટે સરકાર જવાબદાર રહેશે અને તેને માટે ખેડૂતો જિલ્લાધિકારીર કાર્યાલયની સામે ધરણા કરશે.