10 વર્ષ પહેલા જ માઈક્રો ઈરિગેશન દ્વારા બિહારમાં 15 એકડ જમીન પર ખેતી શરૂ કરી
સારી શિક્ષા લીધા બાદ નોકરી શરૂ કરી
સારા પગારની નોકરી છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું
પિતાએ આ નિર્ણય પર પ્રોપર્ટીમાંથી કાઢી મુકવાની વાત કહી હતી
બિહારના સમસ્તીપુર જિલ્લામાં નયાનગર ગામમાં સુધાંશુ કુમારને તેમના પિતાએ બાળપણથી જ દેશની પ્રખ્યાત શાળામાં શિક્ષા આપાવી હતી. દિલ્હીમાં હંસરાજ કોલેજથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ સુધાંશુ કેરણના મુન્નારમાં ટાટા ટી ગાર્ડનમાં 1988માં નોકરી મળી. સારી સેલરી હોવા છતાં સુધાંશુ પોતાની નોકરીથી નાખુશ રહેતા હતા. તેમણે નોકરી છોડી દીધી અને બિહારમાં પોતાના જુના ઘરમાં પહોંચી ગયા.
નોકરી છોડી તો પ્રોપર્ટીમાંથી કાઢી મુકવાની વાત પિતાએ કહી હતી
પિતાની સામે જ્યારે સુધાંશુએ નોકરી છોડીને ગામમાં ખેતી કરવાની રજૂઆત કરી તો પિતાને લાગ્યું કે તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેમને સમજાવવાનો પ્રયત્ન સતત થઈ રહ્યો હતો પરંતુ સુધાંશુએ પોતાની જીદ ન છોડી. તેમણે પોતાને એક તક આપવાની વાત કહી. તેના પર સુધાંશુના પિતાની દલીલ હતી કે ગામના લોકો શું કહેશે કે તેમણે સુધાંશુને આટલી ઉચ્ચ શિક્ષા આપી અને હવે તે ગામમાં જઈને ખેતી કરવા માંગે છે. સુધાંશુએ જણાવ્યું કે તેને પિતાએ ત્યાં સુધી કહી દીધુ હતું કે તે તેને પોતાની પ્રોપર્ટીમાંથી બાકાત કરી દેશે. સુધાંશુએ જણાવ્યું કે જ્યારે તેણે ખેતીની શરૂઆત કરી તો આજુબાજુના લોકો તેની ખૂબ મજાબ ઉડાવતા હતા. સુધાંશુ સમયની સાથે આધુનિક ખેતી તરફ વળ્યા.
50 લાખ રૂપિયાની આવક
પોતાના પ્રોફેસનથી નાખુશ સુધાંશુ કુમારે 31 વર્ષ ખેતીમાં કાઢ્યા. બિહાર સરકાર સાથે-સાથે સુધાંશુ કુમારને કેન્દ્ર સરકાર પણ ઘણી વખત સન્માનિત કરી ચુકી છે. ખેતીની પરિભાષા બદલી નાખનાર આ ખેડૂતની કમાણી વાર્ષિક 40થી 50 લાખ થઈ ગઈ છે. ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનમાં પોતાની ખેતીની રીતો વિશે સંબોધન કરી ચુક્યા છે. તે જણાવે છે કે ખેડૂતો પ્રત્યે લોકોનો દ્રષ્ટીકોણ બદલવાની જરૂર છે. ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે. હાલના સમયમાં તે Indian Farmers Networkના મહાસચિવ છે.
લીચી માટે ઉત્તર બિહાર સૌથી વધુ ચર્ચામાં રહે છે પરંતુ તેમની ખેતી કરવાની રીતે સૌને ચોંકાવી દીધા છે. સાથે જ સૌથી વધારે કમાણી કરીને બદાવી દીધું છે. સુધાંશુની પાસે 1100 ઝાડ છે. જેના ફળ પાકે તે પહેલા જ તેની બુકિંગ દેશની મોટી કંપનીઓમાં થઈ જાય છે. અથવા મેટ્રો સિટીઝમાં ઓનલાઈન બુકિંગ દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. કેરીની ખેતી કરવાની રીત બદલીને ઘણી કેરી પર રિસર્ચ કરી ચુકેલા ડોક્ટર રાજન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલયની સાથે મળીને ઘણા પ્રકારના પાક તૈયાર કરી ચુક્યા છે.
શરૂ કરી આધુનિક ખેતી
સુધાંશુ કુમાર કહે છે કે જો ખેડૂત સાચી રીતે ખેતી કરે તો તેમની કમાણી બે ઘણુ નહી પરંતુ ચાર ગણી વધી શકે છે. મક્કાને લઈને બિહારના ખેડૂત મુશ્કેલીમાં રહે છે પરંતુ અમે કોન્સેપ્ટ જ બદલી નાખ્યો. હું 1 રૂપિયો ગાવું છુ અને 2 રૂપિયા કમાઉ છું.
એક અઠવાડિયામાં 7 લાખના કેળા વેચાય છે
સુધાંશુ જણાવે છે કે હાલ અમારે ત્યાં કેળાની ખેતી થઈ રહી છે. એક સીઝનમાં એક અઠવાડિયામાં 7 લાખ રૂપિયાના કેળા વેચવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે તેમેણે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ કરી છે જે આવતા વર્ષ સુધી ફળ આપવાનું શરૂ કરી દેશે. સાથે જ સફરજન લગાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
જે ગામના લોકો મજાક ઉડાવતા હતા આજે તેજ કરે છે વાહ વાહી
સુધાંશુએ જણાવ્યું કે તેના સારા પગારની નોકરી છોડીને ખેતી કરવાના નિર્ણયથી જે ગામના લોકો તેનો મજાક ઉડાવતા હતા તે જ આજે પોતાના બાળકોને કહે છે કે ખેતી કરવી હોય તો પણ અભ્યાસ જરૂરી છે. સુધાંશુ અત્યાર સુધી 2000થી લધારે ખેડૂતોને પ્રશિક્ષણ આપી ચુક્યા છે.
10 વર્ષ પહેલા શરૂ કર્યુ હતુ માઈક્રો ઈરિગેશન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઘણી વખત મુલાકાત લેવા આવી ચુક્યા છે. તે ઉપરાંત ઘણી મોટી હસ્તીઓ આવી સુધાંશુની ખેતીની પદ્ધતી જોવા માટે આવી ચુકી છે. સુધાંશુ સતત 20 વર્ષથી પોતાના ગામમાં સરપંચ છે. તે ઈમાનદારી પુર્વક દરેક સરકારી યોજનાઓ લાગુ કરે છે અને ગામમાં 100 ટકા ઘરોમાં શૌચાલય છે. 45 વર્ષથી વધુ 90 ટકાથી વધારે લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.