રાધનપુર નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યુ હતુ અને આ મામલે ફરિયાદ કરવાને બદલે ખેડૂતો ખુશખુશાલ છે કારણ જાણીને તમને ખૂબ નવાી લાગશે.
રાધનપુરમાં કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો થયા ખુશ
ઓઘનગર નજીક નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પડ્યું હતું ગાબડુ
નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાકટરોના સમર્થનમાં આવ્યા ખેડૂતો
રાધનપુરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. આ વાત સાંભળીને તમને એક વખત આશ્ચર્ય લાગશે, પરંતુ આ વાત સાચી છે.
મળતી માહિતી મુજબ હાલમાં ખેતી કરવાની હોવાથી ખેડૂતોને પાણીની જરૂર હતી. ત્યારે એકાએક ઓઘનગર નજીક નર્મદાની બ્રાંચ કેનાલમાં ગાબડું પડ્યું. નર્મદા બ્રાંચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને પુરતું પાણી મળ્યું હતુ.
પાણી મળતા ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સમર્થન કર્યું છે. અને હાલમાં કેનાલને રિપેર ન કરવા માટેની માગ કરી છે. તૂટેલી કેનાલને એક મહિના સુધી રિપેર ન કરવાની ખેડૂતોએ માગ કરી છે.