હાલ નકલી બિયારણનો રાફડો ફાટ્યો છે. ત્યારે ખેડૂતોએ નકલી બિયારણને ઓળખવા જરૂરી બની જાય છે. કારણ કે, જો ખેડૂતો બિયારણની ખરીદીમાં જ છેતરાય તો તેમની પુરી સીઝન એળે જાય છે. ખેડૂતોએ નકલી બિયારણ વાવીને પછતાવાનો વારો ના આવે તે માટે તેમણે કેટલીક બાબતોની કાળજી રાખવી જરૂરી છે.
ખેડૂતો જે બિયારણ ખરીદી છે તે કપાસનું અસલી બિયારણ નિયત પેકિંગમાં હોવું જોઈએ. તેના પર બોલગાર્ડનો સરકાર માન્ય સિક્કો હોવો જોઈએ. આ ઉપરાંત મેન્યુફેક્ચર અને માર્કેટરનું નામ દર્શાવેલું હોવું જોઈએ, લોટ નંબર દર્શાવેલો હોવો જોઈએ, ડેટ ઓફ ટેસ્ટિંગ અને વેલીડિટી ડેટ હોવી જોઈએ અને અંકુરણની ટકાવારી દર્શાવી હોવી જોઈએ.
આ ઉપરાંત ફિઝીકલ ક્યોરિટી દર્શાવેલી હોવી જોઈએ, ગ્રો આઉટ ટેસ્ટ વિગત દર્શાવેલી હોવી જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર પણ દર્શાવેલો હોવો જોઈએ. કારણ કે, ડુપ્લિકેટમાં કોઈ પણ પ્રકારનું લખાણ હોતું નથી. તેઓ પોતાની રીતે વેરાયટી લખી નાખે છે. તેમના બિયારણ પેકીંગમાં પણ થેલીનો ઉપયોગ કરવામાં આવે છે.
ખેડૂતો કઈ રીતે ઓળખશે નકલી છે કે અસલી બિયારણ
નકલી બિયારણમાં કોઈ લખાણ હોતુ નથી
નકલી બિયારણમાં GST નંબર ખોટો હોય છે
નકલી બિયારણની બેગમાં નિયમો લખાયેલા હોતા નથી
નકલી બિયારણ સસ્તુ મળતુ હોય છે
નકલી બિયારણની સરખામણીએ અસલી બિયારણ મોંઘુ હોય છે
નકલી બિયારણમાં બીલ પણ ખોટા હોય છે
નકલી બિયારણની બેગમાં ભળતુ લખાણ કરી ખેડૂતોને છેતરે છે
નકલીમાં GOT જ્યારે અસલી બિયારણની બેગમાં GOVT લખેલુ આવે છે