ભાવનગરના ખેડૂતોમાં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે અને નવા પાકને આવતા હજુ સમય લાગશે. ત્યારે હાલ જેમની પાસે ડુંગળીનો જથ્થો પડ્યો છે તેના ભાવો પૂરતા મળી રહે તેમ છે તેવા સમયે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવો તળિયે બેસી જશે.
ડુંગળીની નિકાસ બંધીથી ખેડૂતો નાખુશ
વેપારીઓએ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો
ડુંગળીના ભાવો તળિયે બેસવાનો ખેડૂતોનો દાવો
ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે અને તેની ગુજરાત અને અન્ય રાજ્યોમાં સારી એવી માગ રહે છે. ત્યારે ડુંગળી ખરીદતા વેપારીઓએ પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તો માર્કેટિંગ યાર્ડના ચેરમેને પણ આ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી છે. અને સરકારને યોગ્ય રજૂઆત કરવાની બાંહેધરી આપી છે.
કેન્દ્ર સરકારે તાજેતર માં દેશમાં ડુંગળી ના ભાવો વધતા ની સાથે જ નિકાસ ઉપર પ્રતિબન્ધ મૂકી દેતા ખેડૂતો માં નારાજગી પરવતી રહી છે ખેડૂતો નું કહેવું છે કે વરસાદી માહોલ ના કારણે નવો માલ હજુ બહાર આવે તેમ નથી અને જેમની પાસે ડુંગળી નો જથ્થો પડ્યો છે તેના ભાવો પૂરતા મળી રહ્યં છે તેવા સમયે સરકારે નિકાસ ઉપર પ્રતિબન્ધ મૂકી દેતા હવે ફરી ડુંગળી ના ભાવો તળિયે બેસી જશે અને ફરી ખેડૂત દેવાદાર બનશે આથી સરકારે ડુંગળી ઉપર ની નિકાસ બન્ધી તાકીદે ઉઠાવી લેવી જોઈએ
દેશમાં ડૂંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજા નમ્બરે અને ગુજરાત
સમગ્ર દેશમાં ડૂંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજા નમ્બરે અને ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનના ક્ષેત્રે ભાવનગર જિલ્લો પ્રથમ આવે છે અને તેમાં ખાસ કરીને ભાવનગર તાલુકા ઉપરાંત તળાજા ,મહુવા અને ઘોઘામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે સામાન્ય રીતે આ જિલ્લામાં 20 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે અને તેની ગુજરાત ઉપરાન્ત અન્ય રાજ્યોમાં સારી એવી માંગ રહે છે.
જાન્યુઆરી માસમાં 20 કિલો ડુંગળી ના ભાવ 2000 થયો હતો
ગત શિયાળુ પાક સમયે ખેડૂતો ને ડુંગળી ના સારા એવા ભાવ મલયા હતા જાન્યુઆરી માસ માં 20 કિલો ડુંગળી ના ભાવ 2000 થયો હતો બાદ માં હવે આ ભાવ આજે સાવ તળિયે બેસી ગયા હતા હાલ માં કોરોના ની સ્થિતિ અને સતત પડી રહેલા વરસાદ ના કારણે જે લોકો એ ડુંગળી નું વાવેતર કર્યું હતું તેમનો પાક વરસાદ માં ધોવાઈ ગયો છે અને હજુ નવો પાક આવવાના સમય લાગવાનો છે પરંતુ જેમની પાસે સન્ગ્રહ થયેલ ડુંગળી છે તેનો ભાવ વધી ગયો છે અને દેશમાં વધતા ભાવ ને લઈ ને સરકારે નિકાસ ઉપર પ્રતિબન્ધજાહેર કરતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો છે ખેડૂતો નું કહેવું છે કે ડુંગળી એક્સપોર્ટ થઇ તો ખેડૂતો ને બે પૈસા મળી શકે છે અને પૂરતા ભાવ પણ મળી શકે છે પરંતુ નિકાસ ઉપર પ્રતિબન્ધ મુકતા હવે ભાવ ફરી તળિયે બેસી જશે
અમે સરકાર માં રજુઆત કરીશું
આમતો સામાન્ય રીતે જુલાઈ માસ માં ડુંગળી નું વાવેતર કરવામાં આવે છે અને તે ડુંગળી નવેમ્બર માસ માં ભાર વહેંચવા માટે આવે છે જો કે આ વર્ષે સતત વરસી રહેલા વરસાદ ના કારણે ખેડૂતો એ મોંઘા ભાવ ના બિયારણો અને કળી લાવી ને વવએટર કર્યું હતું પરંતુ વરસાદ ના કારણે ખેડૂત ના ખેતરો ધોવાઈ જતા પા કનિષ્ફ્ળ જશે અને બીજી વખત વાવેતર કરવું પડે તેવી સ્થિતિ નું નું નિર્માણ થયું છે આ બાજુ વેપારી નું પણ કહેવું છે કે જિલ્લામાં ઉચ્ચ ગુણવતા વળી ડુંગળી નું ઉત્પાદન થાય છે અને તેના કારણે અહીં ની ડુંગળી અન્ય રાજ્યો માં અને વિદેશમાં પણ માંગ ઉભી કરે છે ડુંગળીની નિકાસ નો સરકારનો નિર્ણય અયોગ્ય ગણાવાયો છે આ બાજુ માર્કેટિંગ યાર્ડના ચેરમને નું કહેવું છે કે અમે સરકાર માં રજુઆત કરીશું અને ડુંગળી માટે એક્સપોર્ ની પરવાનગી ખેડૂત ને મળે તે જરૂરી છે
આમતો સામાન્ય રીતે ડુંગળી નું જયારે ઉત્પાદન પૂરતું થાય છે ત્યારે ભાવો ગગડી જાય છે અને ખેડૂતો ને નુકશાન થતું હોઈ છે બીજીબાજુ હવે સરકારે નિકાસ ઉપર પણ પ્રતિબન્ધ મૂકી દેતા નવી સિએઝના માં જયારે ડુંગળી આવશે ત્યારે તેના ભાવો ગાંગળીજશે તે નક્કી છે અને આ વર્ષે સતત વરસાદ ના કારણે ડુંગળી નું ઉત્પાદન પણ મોડું થશે તેમ મનાઈ રહ્યં છે